________________
૨૪૮
ભંડાર છે, નરકૃપમાંથી ઉદ્ધરનારા છે, ભવાટવીના સાથે વાહ છે, ભવસાગરના નિયમક છે અને મોક્ષમાર્ગના નાયક છે.
નિર્મળ છતાં કૃપાળુ છે, નિગ્રંથ છતાં પરમેશ્વર્યવાનું છે, વિરક્ત છતાં અનંત સુખમાં આસક્ત છે, ઉદાસીન છતાં પરમોપકારી છે, આન્તર શત્રુઓને હણનારા છતાં સમતાવાનું છે, રાગરહિત છતાં મુક્તિ સુખને ભોગવનાર છે, રાગાદિ પ્રત્યે નિર્દય છતાં સર્વ પ્રાણીઓ પ્રત્યે દયાળ છે, બેલાવ્યા વિના સહાય કરનારા છે, કારણ વિના વાત્સલ્ય રાખનાશ છે, પ્રાર્થના કર્યા વિના પરનું કાર્ય કરનારા છે, સંબંધ વિના બાંધવ છે, નેહ વિના નિગ્ધ મનવાળા છે, માંડ્યા વિના ઉજજવળ છે, ધયા વિના નિર્મળ છે, કોધ વિના વીરવતવાળા છે, નિઃસંગ છતાં જનેશ–લેકના નાથ છે અને મધ્યસ્થ છતાં જગરક્ષક છે.
વીતરાગનું બિંબ જોતાં જેનું દિલ હરખે છે, તે તેની ભવ્યતાની નિશાની છે. વીતરાગના ચરણની રજ એ પુણ્યગણની કણ છે. અને વીતરાગની ભક્તિ એ મુક્તિનું લેહમૂંબક છે.
જે મન વીતરાગનું ધ્યાન કરે છે તે જ સાચું મન છે. બીજું મન ભવમાં ભટકાવનાર છે. જે નયન વીતરાગને નીરખે છે, તે જ સાચાં નેત્ર છે. બીજું નેત્ર મુખ રૂપી ઘરનાં જાળીયાં છે. જે જીભ વીતરાગના ગુણ ગાવામાં રસિક છે, તે જ સાચી જીભ છે, બીજી જીભ માંસને ટુકડોલો છે. જે