________________
શ્રી અરિહંત પરમાત્માના દર્શનના મહિમા.
શ્રી અરિહંત પરમાત્માનું દર્શન ચન્દ્રની જેમ પાપરૂપી તાપને શમાવે છે. સૂર્યની જેમ અજ્ઞાનતિમિરને હઠાવે છે. મેઘની જેમ ભવદવને શાન્ત કરે છે. અગ્નિની જેમ ક્રમ કાષ્ઠનુ દહન કરે છે. પવનની જેમ ક્રમ`રજને ઉડાવી દે છે. દર્પણુની જેમ આત્મસ્વરૂપ બતાવે છે. દીપકની જેમ માહાંધકારના નાશ કરે છે. ઔષધની જેમ ભવરાગને દૂર કરે છે, ચક્ષુની જેમ સત્પંથને દેખાડે છે. ચિન્તામણિની જેમ સર્વ કામનાને પૂર્ણ કરે છે. અમૃતની જેમ ભાવરાગનું નિવારણ કરે છે. જહાજની જેમ ભવસાગરથી પાર ઉતારે છે અને ચન્દનની જેમ ગુણસુવાસને પ્રગટાવે છે.
વીતરાગના દર્શનથી વીતરાગભાવના પ્રગટ થાય છે, પાપસેના નબળી પડે છે, વિષયકષાયા પાતળા થાય છે, પાપપક સૂકાઈ જાય છે, દુષ્ટ વાસનાએ નિમૂળ થાય છે, સમતાભાવ વૃદ્ધિ પામે છે, ભવભ્રમણ ટૂંકું થાય છે. શ્રી શીતરાગ દેવ સ’સારના વિસ્તારને વિષ્ણુસાવનારા છે, ભાવરત્નના ખજાના છે, ત્રણ ભુવનના મુકુટ છે, આનંદના દેનાર છે, કૃપાના