________________
૨૪૫
બ્રહ્મચર્યધર્મ-શ્રી જિનપૂજનના કાળમાં મન, વચન, કાયાથી શુદ્ધ શીલનું પાલન થાય છે અને સ્વસ્ત્રી સંબંધી પણ વિકાર હેતે નથી, તેથી બ્રહ્મચર્ય ધર્મ પણ સધાય છે.
અપરિગ્રહધર્મ-શ્રી જિનપૂજન માટે મંદિરમાં પ્રવેશ કરતી વખતે જ નિસાહિ કહીને પ્રવેશ કરવાનો હોય છે, તેથી તેટલા વખત માટે સંસારના આરંભ-પરિગ્રહનાં સર્વ કાર્યોને નિષેધ થવાથી અપરિગ્રહ ધર્મ પણ સધાય છે.
સમ્યત્વધર્મ-શ્રી જિનપૂજા એ સુદેવની ઉપાસના રૂપ હોવાથી સમ્યકત્વની કરણી છે, રાગ-દ્વેષીની ઉપાસના એ મિથ્યાત્વ છે અને શ્રી જિનપૂજાથી રાગી-દ્રષીની ઉપા સનારૂપ મિથ્યાત્વને ત્યાગ થાય છે, તેથી સમ્યકત્વ ધર્મ પણ સધાય છે.
ચારિત્રધર્મ – શ્રી જિનપૂજા એ લૌકિક ઋદ્ધિ-સિદ્ધિની પ્રાપ્તિ અર્થે કરવાની નથી હોતી કિન્તુ જ્ઞાન-દર્શનચારિત્રરૂપી રત્નત્રયી તથા તેની આરાધનાના ફળરૂપ મુક્તિની પ્રાપ્તિ અર્થે કરવાની હોય છે. તેથી શ્રી જિનપૂજા કરનાર આત્મા રત્નત્રયીને ઉપાસક બને છે, તેના પ્રતાપે આ જન્મમાં અગર જન્માંતરમાં તેને સર્વવિરતિ ધર્મની અવશ્ય પ્રાપ્તિ થાય છે.
રત્નત્રયી-શ્રી જિનેશ્વર દેવ એ પરમ સર્વ વિરતિધર ઉત્કૃષ્ટ સાધુ પુરુષ છે, તેમની સેવા કરવાથી સર્વવિરતિને