________________
૨૪૬
આવરણ કરનારું ચારિત્ર માહનીય ક્રમ નાશ પામે છે. તેથી જીવ વહેલા યા મેાડા સવિરતિને પામે છે. શ્રી જિનેશ્વર દેવ એ ક્ષાયિક સમ્યક્ત્વને પામેલા છે. તેથી તેમની પૂજા કરનારને સમ્યક્ત્વનું આવરક દન માહનીય ક નાશ પામે છે. શ્રી જિનેશ્ર્વર દેવ, ક્ષાયિક કેવળજ્ઞાનને વરેલા છે, તેથી તેમની પૂજા કરનાર આત્માના પણ કેવળજ્ઞાનાવરણીય ક્રમાં નાશ પામે છે.
એ રીતે શ્રી જિનેશ્વર દેવની દ્રવ્ય-ભાવ ઉભય પ્રકારે પૂજા કરનારને દાનાદિક ધર્મો, વ્રતાદિ ધર્મો અને જ્ઞાનાદિક ગુણાની આંશિક સાધના નિરતર થાય છે અને પુણ્યવત પ્રાણીઓના ઘર આંગણે નવ નિધાન પ્રગટાવે છે.