________________
શ્રી અરિહંત પરમાત્માની પૂજામાં દાનાદિ
અને ત્રતાદિ ધર્મોની આરાધના.
દાનધર્મ–શ્રી જિનેશ્વરદેવ એ રત્નપાત્ર છે, શ્રી જિનપૂજન માટે અક્ષત, ફળ અને નૈવેદ્ય આદિ ઉત્તમ દ્રવ્યને ઉપયોગ કરનાર પિતાના દ્રવ્ય વડે રત્નપાત્રની ભક્તિ કરે છે, તેથી તેને દાનધર્મની સર્વોત્તમ આરાધના થાય છે.
શ્રી જિનેશ્વર દેવાને દાનની કયાં જરૂર છે ? એમ ન કહેવું. કારણ કે શ્રી જિનેશ્વર દેવને દાનની જરૂર નથી, માટે જ તેઓ સર્વોત્તમ પાત્ર છે. જેઓ દાન ગ્રહણ નથી કરતા, તેઓને દાન આપવાનું શું ફળ? એમ પણ ન કહેવું. કારણ કે ગ્રહણક્રિયા અનેક પ્રકારની હોય છે, તેમાં
અનિષેધક પણ ગ્રહણ કરનાર જ ગણાય છે. અન્યથા જેઓ પિતાની પૂજાના અભિલાષી નથી, તેઓ બધા દાન સન્માનાદિકને પાત્ર નથી, એમ માનવું પડે અને અભિલાષી છે તેટલા જ દાનને પાત્ર ગણાય. પરંતુ જગતમાં તેમ કોઈ માનતું નથી. ઉલટું જે પિતાના સમાનાદિની અભિલાષા રાખે છે, તેઓ અપાત્ર ગણાય છે અને મનથી પણ અભિલાષા