________________
અમૃતાનુષ્ઠાન—
૪૧
जिनोदितमिति त्वाहुर्भावसारमदः पुनः । संवेगगर्भमत्यन्तममृतं मुनिपुंगवाः ॥ १ ॥
આ અનુષ્ઠાન શ્રી જિનેશ્વરાએ કહેવુ છે માટે એજ એક તત્ત્વ છે એવા પ્રકારની પરિણતિથી ભાવસાર-શ્રદ્ધાપ્રધાન અને સવેગગ-માક્ષની અભિલાષા સહિત કરાતા અનુષ્ઠાનને ગૌતમાદ્ધિ મહામુનિએ અમૃતાનુષ્ઠાન કહે છે. અમરણ-મુક્તિના વય હેતુ હોવાથી તેને અમૃત કહેવાય છે. અમૃતાનુષ્ઠાનનું લક્ષણ ખાંધતાં અન્યત્ર પણ કહ્યું
છે કે
તગત ચિત્ત ને સમય વિધાન, ભાવની વૃદ્ધિ ભવભય અતિ ઘણેા; વિસ્મય પુલક પ્રમાદ પ્રધાન, લક્ષણ એ છે અમૃતક્રિયા તણેા-૧. જેમાં ચિત્તની એકાગ્રતા છે, જે શાસ્ત્રોક્ત વિધિથી યુક્ત છે, જેમાં શુભ ભાવની અત્યંત વૃદ્ધિ છે, જે કરતી વખતે ભવના અતિશય ભય છે, ચિત્તમાં વિસ્મય છે, શરી રમાં રામાંચ ખડા થાય છે અને દરિદ્રને નિધાનની પ્રાપ્તિ કે જન્માષને નેત્રની પ્રાપ્તિથી પણ જેમાં અધિક આનંદ છે, એ પ્રકારના લક્ષણુવાળા અનુષ્ઠાનને અમૃતાનુષ્ઠાન કહેવાય છે. એવુ અનુષ્ઠાન એક જ વાર પ્રાપ્ત થઈ જાય તા પણ તેના સ્વાદ કઢી પણ જતા નથી. ઉપરાક્ત પાંચ પ્રકારના અનુષ્ઠાનામાં પ્રથમના ત્રણ અનુષ્ઠાના ચેાગાભાસ હાવાથી નિક અને નુકશાનકારક છે. છેલ્લા બે અનુષ્ઠાન યાગસ્વરૂપ હાવાથી આત્માને અત્યંત હિત કરનાર છે.
१६