________________
શ્રી અરિહંત પૂજાથી આઠે કર્મના ક્ષય.
ચૈત્યવદન, સ્તુતિ અને સ્તોત્રાદિક વડે શ્રી જિનગુણનું જ્ઞાન થવાથી જ્ઞાનાવરણીય કમ નાશ પામે છે.
શ્રી જિનમૂર્તિનાં દર્શનાદિ કરવાથી નેત્રાનુ સાફલ્ય થવા સાથે દનાવરણીય કમ નાશ પામે છે.
જીવયતના અને જીવની દયાની ભાવનાપૂર્વક શ્રી જિનપૂજા થતી હોવાથી અશાતા વેદનીય આદિ કમના ય થાય છે.
શ્રી અરિહંત પરમાત્માના ગુણના સ્મરણથી દનમાહનીય અને શ્રી સિદ્ધ પરમાત્માના ગુણના સ્મરણથી ચારિત્ર માહનીય કમ નાશ પામે છે
અક્ષય સ્થિતિને વરેલા શ્રી જિનેશ્વર દેવના પૂજનના શુભ અધ્યવસાયથી ચારે ગતિના આયુષ્ય કમ ના છેદ
થાય છે.
શ્રી જિનેશ્વર દેવના નામસ્મરણ આદિથી સ`સારમાં વિચિત્ર પ્રકારના નામ અને આકાર અપાવનાર નામના નાશ થાય છે
શ્રી જિનેશ્વર દેવને વન્દનાદિ કરવાથી નીચગેાત્ર કુના ક્ષય થાય છે.
શ્રી જિનપૂજામાં શક્તિ, સમય તથા દ્રવ્યાદિના સહુપંચાગ થવાથી દાનાંતરાય આદિ પાંચે પ્રકારના અતરાય કુના ક્ષય થાય છે.
wwww