________________
લાવે છે. અખિલ ગુણાધિક–સમસ્ત પ્રાણીગણથી અધિક ગુણવાન શ્રી જિનેશ્વરદેવની પૂજા અખિલગુણાધિક પૂજો પકરણ વડે સર્વ કરતાં અધિક ગુણવાલાં સારભૂત પૂજાના ઉપકરણો વડે બુદ્ધિમાન પુરુષોએ કરવી જોઈએ. એ રીતે કરેલી પૂજા જ ચિત્તને પરિપૂર્ણ સંતોષ આપનારી થાય છે. અન્યથા નહિ
અન્ય ગ્રન્થમાં પંચોપચારી, અપચારી સર્વોપચારી તથા ત્રણ પ્રકારની પૂજા અન્ય રીતે પણ કહી છે.
પંપચારીપૂજા-ઉપચાર એટલે પૂજાની સામગ્રીપુષ્પ, અક્ષત, ગંધ, ધૂપ અને દીપ અથવા જળ, ચન્દન, પુષ્પ, ધૂપ અને દીપ એમ પાંચ પ્રકારની પૂજા કહી છે.
અપચારીપૂજા-પુષ્પ, અક્ષત, ગંધ, દીપ, ધૂપ, નૈવેદ્ય, ફળ અને જળ. એમાં જળપૂજા પ્રથમ કરવાની છે. પછી ગંધ (વિલેપન), પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય અને ફળ અથવા ફળ પછી નૈવેદ્ય | સર્વોપચાર પૂજા-પૂજાને યોગ્ય સર્વ પ્રકારની વસ્તુઓ વડે પૂજા કરવી તે. સત્તરભેદી, એકવીસ પ્રકારી, એકસો આઠ પ્રકારી ઈત્યાદિ. અંગ, અગ્ર અને ભાવ એ ત્રણે ભેદેથી પૂજા કરવી, તે પણ સર્વોપચાર પૂજા કહેવાય છે.
અંગપૂજાને વિદને પશામિકા–વિદને શમાવનારી, અગ્રપૂજાને અયુદય સાધન-સ્વર્ગાદિ સંપત્તિને આપનારી તથા ભાવપૂજાને નિવૃત્તિકારિણી-અવ્યાબાધ સુખ સ્વરૂપ