________________
૨૩૭
થતે ધર્મવ્યાપાર વિશેષ કરીને “ગ” સંજ્ઞાને પ્રાપ્ત કરે છે. સ્થાનાદિ વેગની સાધના વિપુલ કલ્યાણને શીધ્ર આપનારી થાય છે. તે સ્થાનાદિ ભેગના પ્રકારો નીચે મુજબ છે.
સ્થાનોગ-સ્થાન-આસનવિશેષ, કાયેત્સર્ગાસન, પર્યકાસન અને પદ્માસન ઈત્યાદિ તથા યોગમુદ્રા, જિનમુદ્રા અને મુક્તાશુક્તિમુદ્રા ઇત્યાદિનું યથાયોગ્ય પાલન.
વચગ-વર્ણ-શબ્દ. ક્રિયાદિમાં બોલવામાં આવતા સૂત્રના અક્ષરનું શુદ્ધ ઉચ્ચારણ.
અથાગ-શબ્દને અર્થ-વાઅભિધેય અથવા તાત્પર્ય ચિન્તવન.
આલંબનગ-આહા પ્રતિમાદિવિષયક એકાગ્રતા પૂર્વક યાન.
* ૧ ચૈત્યવંદનમાં સ્તવ પાઠ (નમેન્થર્ણ ઈત્યાદિ) ગમુદ્રાથી, વંદન (અરિહંત ચેઇયાણું આદિ ) જિનમુદ્રાથી અને પ્રણિધાન (જ્ય વિયરાય ઇત્યાદિ) મુક્તાશુક્તિમુદ્રાથી કરવાના હોય છે. યોગ એટલે સમાધિ અથવા બે હાથને સંગ. તેની મુખ્યતાવાલી મુદ્રા તે ગમુદ્રા. જિન એટલે (વિદનેને) જીતનારી મુદ્રા, મુક્તાશુક્તિ એટલે મોતીની છીપ સમાન મુદ્રા. (૪) ગમુદ્રામાં પરસ્પર અંતરિત કરવાથી કમળના ડોડાના આકારવાળા થયેલા બે હાથયુક્ત બંને કેણીને પેટ ઉપર સ્થાપન કરવાનું હોય છે. જિનમુદ્રામાં બે પગને આગળને ભાગ ચાર આગળ અંતરવાળો અને પાછલે ભાગ તેથી કાંઈક ઓછા અંતરવાળો રાખી બે હાથ જોડી સ્થિર ઉભા રહેવાનું હોય છે. મુક્તાશુતિ મુકામાં બને હાથ પિલા જેડી લલાટથાને લગાડવાનાં હોય છે.