________________
૨૨૭
સો વર્ષ ઉપવાસ પુણ્ય, પ્રદક્ષિણા દેતાં; સહસ વર્ષ ઉપવાસ પુણ્ય, જિન નજરે જોતાં. ૭ ભાવે જિનવર જુહારીએ, ફલ હવે અનંત, તેથી લહીએ સો ગણું, જે પૂજે ભગવંત. ૮ ફલ ઘણું ફૂલની માલ, પ્રભુકાઠે ઠવતાં; પાર ન આવે ગીત નાદ, કેરાં ફલ થતાં. ૯ નિરમલ તન મને કરી, ઘુણતાં ઈન્દ્ર જગીશ; નાટક ભાવના ભાવતાં, પામે પદવી જગીશ. ૧૦ જિનવર ભક્તિ વલી એ, પ્રેમે પ્રકાશી, નિસુણી શ્રી ગુરુવયણ સાર, પૂર્વ ઋષિ ભાષી. ૧૧ અષ્ટ કર્મને ટાલવા, જિનમંદિર જઈશું; ભેટી ચરણ ભગવંતના, હવે નિરમલ થઈશું. ૧૨ કીર્તિવિજય ઉવઝાયને, વિનય કહે કરજોડ; સફલ હાજે મુજ વિનતિ, જિન સેવાનું કોડ. ૧૩
ઉપરોક્ત ચૈત્યવન્દનમાં ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજ શ્રી જિનેશ્વરદેવ અને તેમના ચૈત્ય આદિનાં દર્શન. રતવન, પૂજન, આદિની ભક્તિનું ફળ, પૂર્વ મહર્ષિઓએ જે રીતે પ્રકાણ્યું છે, તે રીતે વર્ણવી બતાવ્યું છે. એ જ વાતને પૂર્વાચાર્ય મહર્ષિઓ નીચેના શબ્દોમાં સમર્થન કરે છે.
संपत्तो जिणभवणे, पावइ छम्मासिकं फलं पुरिसो। संवच्छरिअं तु फलं, दारदेसडिओ लहइ ॥ १ ॥