________________
२२८
શ્રી જિનભવનને પ્રાપ્ત થયેલે પુરૂષ છ માસના ઉપવાસના ફલને પામે છે અને દ્વાર દેશે પહોંચેલ પુરૂષ સંવત્સર-બાર માસના ઉપવાસના ફલને પામે છે. (૧)
વળી
पयाहिणेण पावइ, वरिससयं फलं तओ जिणे महिए । पावइ वरिससहस्सं अणंतपुण्णं जिणे थुणिए ॥ २ ॥
પ્રદક્ષિણા દેવાથી સે વર્ષના ઉપવાસના ફલને પામે છે, શ્રી જિનેશ્વરદેવની પૂજા કરવાથી હજાર વર્ષના ઉપવાસના ફળને પામે છે અને શ્રી જિનેશ્વરની સ્તુતિ કરવાથી જીવ અનંત પુણ્યને ઉપાર્જન કરે છે. (૨) એ માટે શાસ્ત્રમાં કહ્યું છે કે –
सयं पमज्जणे पुण्णं, सहस्सं च विलेवणे । सयसाहस्सिआ माला, अणतं गीअवाईए ॥ २ ॥
શ્રી જિનેશ્વર પ્રભુના બિસ્મને પ્રમાર્જન કરતાં સો ગુણું, વિલેપન કરતાં હજાર ગણું, પુષ્પની માળા ચઢાવતાં લાખ ગુણું અને ગીત તથા વાજિંત્ર વગાડતાં અનંતગણું પુણ્ય ઉપાર્જન થાય છે. (૩)