________________
પપ
ડવાનું સામર્થ્ય ભાવનાનું છે. જે ભાવના નીકળી જાય તો ક્રિયારૂપી કલેવર તો રહે પણ પ્રાણ ન રહે તેથી તે ક્રિયા નિર્જીવ કિયા બની જાય એટલા માટે શાસ્ત્રકારોએ
અહિંસાદિ દરેક વ્રતના નિરૂપણ વખતે ભાવનાનું પણ વિધાન સાથે જ કરેલું છે.
ધર્મને તમામ ઉપદેશ માત્ર સાંભળવા પૂરતે કે બીજાને સંભળાવવા પૂરતું જ નથી પણ પ્રત્યેક ઉપદેશ ભાવિત કરવા માટે હોય છે. જે ઉપદેશ ભાવિત ન બને તે તે આપણે ન બને અભાવિત જ્ઞાનની ખાસ કિંમત નથી. ભાવિત જ્ઞાનની કિંમત ઘણી મોટી છે.
જ્ઞાનસાર આદિ ગ્રંથની નીપજ એ ભાવિત જ્ઞાનનું ફળ છે, ઉપદેશને આત્મામાં ઉડે સુધી ભાવિત કરવા માટે તેવા ગ્રંથેની રચનામાં ઘણું સામર્થ્ય હોય છે.
શાસ્ત્રોમાં ધર્મધ્યાનને ભાવિત કરવા માટે કાર્યમાં કારણને ઉપચાર કરીને અનેક ભાવનાઓ બતાવવામાં આવી છે. જેને ભાવિત કરવાથી સમાપત્તિ-એકાગ્રતા પ્રાપ્ત થાય તેવી રીતે યાનની શ્રેષ્ઠતા અનેક ઉપમા દ્વારા પણ બતાવવામાં આવી છે. જેમ કે–
ધ્યાન એ જ નિશ્ચય મેક્ષમાગ સ્વરૂપ છે. ધ્યાન એ જ શુદ્ધાત્મસ્વરૂપ છે. ધ્યાન એ જ પરમહંસ સ્વરૂપ છે. ધ્યાન એ જ વિષ્ણુસ્વરૂપ છે. ધ્યાન એ જ શિવસ્વરૂપ છે. ધ્યાન એ જ બુદ્ધસ્વરૂપ છે.