________________
ચેાથે સ્વને લમી દીઠી. વરસીદાનને દેશેજી; તીર્થકર એ લમી ભેગી, શિવવઘૂ કમળા વરશેજી;
સુણે ભવિ પ્રાણજી રે. (૨) તીર્થંકરની માતા ચોથા સ્વપ્નમાં લક્ષ્મીના દર્શન કરે છે. આ લક્ષ્મી આપણા જેવા પામર મનુષ્યને જેવી રીતે બંધનકતાં થાય છે અને સંસારના ઉંડા કીચડમાં ઉતારી દેનારી થાય છે, તેવી રીતે તીર્થંકર પ્રભુને બંધનકર્તા થતી નથી, પરંતુ વરસીદાનના અવસરે પ્રાણીઓને મુક્ત હસ્તે દાન આપવામાં એને સદુપયોગ થાય તે માટે એ લક્ષમી સદા તીર્થકર ભગવાન પાસે બે હાથ જોડીને ઉભી રહે છે. લક્ષ્મીને સાચો ઉપયોગ શું હોઈ શકે, એ વાત ઉપર આ સ્વપ્ન બહુ ગંભીરતાથી પ્રકાશ નાખે છે. લક્ષમીની પ્રાપ્તિ માટે જે મનુષ્ય પાપકર્મો કરતાં આંચકે ખાતા નથી એની પ્રાપ્ત થતી હોય તે અઢાર પાપસ્થાનકે સેવતાં જેમને લેશ પણ સંકોચ થતું નથી, તેમણે આ સ્વપ્ન ઉપરથી ખાસ બોધ ગ્રહણ કરવાની જરૂર છે. લક્ષમીનો જે આપણે ખરેખર ઉપગ કર હોય તે તેના દાસ ન બનવું જોઈએ. કારણ કે લક્ષ્મીના ગુલામ કદાપિ આત્મકલ્યાણ કરવાને શક્તિમાન્ થઈ શક્તા નથી. લક્ષ્મીનું દાન કરવું અને પુણ્યને જે સંપત્તિ પ્રાપ્ત કરી હોય તેને ત્યાગ કરે એ જ લક્ષમીને સાચો ઉપભોગ છે. આપણે પ્રથમ સ્વપ્નદર્શને જઈ ગયા છીએ કે તીર્થકર ભગવાન ચાર પ્રકારના ધર્મોનો પ્રકાશ કરે છે, તેમાં દાનને પ્રથમ પદ આપવામાં આવ્યું છે. પ્રભુ પિતે ધમને પ્રકાશ કેવળ