________________
વાણીથી જ નથી કરતા, પણ પિતાના વર્તનથી દાનધમની મહત્તા જગતને જાહેર કરે છે. પિતાને પ્રાપ્ત થયેલી લક્ષ્મી જેઓ નિરહંકારપણે પિતાના સાધર્મિક બધુઓના હિતાર્થે તથા જગતના સર્વ પ્રાણીઓના કલ્યાણાર્થે વાપરી શકે છે, તેઓ ક્રમે ક્રમે શિવવધૂ પ્રાપ્ત કરી શાશ્વત સુખ મેળવવા ભાગ્ય શાળી થાય છે. પ્રભો! યત્કિંચિત્ પણ લક્ષમી અમે પ્રાપ્ત કરી શક્યા હોઈએ તે તેને સદુપગ કરવાનું અર્થાત્ દાન કરવાનું અને બળ આપે એવી અમે પ્રાર્થના કરીએ છીએ.
પાંચમાં સ્વપ્નનું સ્પષ્ટીકરણ કરતાં કવિવર કહે છે કે – પાંચમે સ્વને કુસુમની માળા, સવી જન શિરપર ધારેજી, તિમ ભવિ જીવના, તુજ સુતર પાપ-તાપ વી ટાળે છે;
સુણે ભવિ પ્રાણુજી રે. (૫) કુસુમાદિ સુગંધી દ્રવ્યો જેમ દુધીને દૂર કરી પોતાની સુવાસ પ્રકટાવે છે, તેવી રીતે હે તીર્થકર ભગવાનની પ્રાતઃ સ્મરણીય જનનિ ! તમારે પુત્ર પણ કુસુમની માળાની પેઠે ભવિ જીનાં અંતઃકરણમાં રહેતી દુગધી દૂર કરી તેમનાં ભિક્ત હૃદયને પણ કુસુમની માફક સુગંધી ફુરાવતાં બનાવી દેશે. પ્રચંડ પ્રીમની જવાળાથી સંતપ્ત વિલાસી જ કુસુમમાળાઓને કંઠમાં ધારણ કરવાથી જેવી રીતે શાંતિ અને તૃપ્તિ અનુભવે છે, તેવી રીતે તમારો પુત્ર પણ ભવિ જોના પાપ તાપને દૂર કરનાર તથા અપૂર્વ શાંતિ આપ