________________
૨૦૩ મહારાજ જેવા મહાપુરુષોના હદયમાં શાંતિ તેમજ તેના સહચારી બીજા ગુણે એકરસ થઈને રહ્યા હોય છે, તેથી તેઓ હંમેશાં ભરેલા કળશની માફક જ ગંભીર રહે છે. અર્થાત્ અધુરા કળશની માફક છલકાતા નથી. અધુરાશ અથવા અપૂર્ણતા હોય છે ત્યાં જ છલકાવાપણું હોય છે. વસ્તુતઃ અગંભીરતા હેવી એ આત્માની એક પ્રકારની નિર્બળતા છે, અને નિર્બળતા એ જ પાપનું પ્રભવસ્થાન છે. સંપૂર્ણ કળશના જેવી ગંભીરતા તથા શાંતિ આપણા હૃદયને પણ સ્પશે. એવી પ્રાર્થના આપણે આ સ્વપ્નના દર્શન વખતે કરીશું તે તે ગ્ય ગણાશે
દશમા સવપ્નમાં પદ્મ સરોવર પિતાનો પ્રભાવ દર્શાવતાં કહે છે કે – પદ્મ સરવર આવી દસમે, માતા સુણે મારી વાત છે, સુરરચિત કમળના ઉપર ઠવશે, કેમળ પદ તુજ પુતળ;
સુણે ભવિ પ્રાણીજી રે. (૧૦) દશમા સ્વપ્નમાં તીર્થકરની માતાજીને જે સરોવર દષ્ટિગોચર થાય છે, તેમાં અનેક પદમ-પુષેિ પણ ખીલેલાં નજરે પડે છે. આ કમળાવાળું સરોવર સૂચવે છે કે
તમારા પુત્રના કેમળ ચરણકમળ પૃથ્વીને સ્પર્શવાને બદલે દેવી કમળ ઉપર સ્થિર થશે, અને તે કમળો પાર્થિવ નહીં, પણ દેવતાઓએ ખાસ તૈયાર કરેલાં કમળ હશે.” વસ્તુતઃ આ સ્વપ્નથી તીર્થંકર પ્રભુના અતિશયનું સૂચન થાય છે.