________________
સકે
છે
કે –
“માં
છે. જો કે મા
૨૦૭ સત્કાર છે અને પિતાના કંઠમાં સ્થાપે છે તેવી રીતે રનશશિ કહે છે કે – “મારી માફક તમારા આ ભાવી પુત્રની પણ પૂજા તથા આદર-સત્કાર થશે. જો કે મારામાં તે દેખાવ પૂરતા બાહ્ય ગણ્યાગાંઠ્યા જ ગુણે છે, તથાપિ મનુષ્ય મને બહુ પ્રેમથી સત્કારે છે, પરંતુ તીર્થકર ભગ વાનમાં અર્થાત્ તમારા પુત્રમાં એટલા બધા આંતરિક ગુણ હશે કે તે ગુણોનો કોઈ પાર પામી શકશે નહીં.” તે ઉપરાંત આ રત્નરાશિ એમ પણ કહે છે કે “તમારા પુત્ર રત્નગઢમાં વિરાજવા શક્તિમાન થશે.” સર્વજ્ઞ પ્રભુ જ્યારે દેશના આપે છે ત્યારે “ત્રિગડ ગઢરચાય છે. આ ત્રિગડાની રચના દેવતાઓ પોતે આવીને કરે છે. તેમાં સેનાને, રૂપાને તથા રત્નને એમ ત્રણ ગઢ રહે છે. ત્રણે ગઢ ઉપર બહુમૂલ્ય કાંગરાઓ બાંધવામાં આવે છે. આવા દિવ્ય ત્રિગઢમાં વિરાજ તમારો પુત્ર જગતના જીવોને પ્રતિ બંધ કરશે, એમ આ રત્નની રાશિ સૂચવે છે. ટૂંકામાં કહીએ તે રત્નની રાશિ એ ત્રિગડાનું સ્મરણ કરાવે છે અને તેની સાથે તીર્થંકર પ્રભુના અતિશયનું પણ સૂચન કરે છે. એ ત્રિગડાના સ્વરૂપનું તથા પરમાત્માની નિર્મળ વાણીનું અનુમાન ક૯પવાથી કે બુદ્ધિથી થઈ શકે તેમ નથી; માટે એ સંબંધી વિવેચન કરવાને બદલે આપણે સર્વે એ દેવી દશ્ય પ્રત્યક્ષ નિહાળવાની તથા ભગવાનની અમૃતમયી દેશના સાંભળવાની ઉત્કટ ભાવનાપૂર્વક જ હાલમાં તે વિરમીશું.