________________
રાપ
ભુવનમાં જયવંતા હોવાથી “અનંત જિત” કહેવાયા આ વિશેષ અર્થ ભીમસેનને બદલે ભીમ પણ કહેવાય એ ન્યાયે અનંત” પણ કહેવાય.
(૧૫) શ્રી ધર્મનાથસ્વામી-દુર્ગતિમાં પડતા ને ધારણ કરે તે “ધમ” આ સામાન્ય અર્થ થયો અને પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારથી માતા દાનાદિ ધર્મોમાં તત્પર બન્યાં માટે “ધર્મ” નામ રાખ્યું, એ વિશેષ અર્થ.
(૧૬) શ્રી શાંતિનાથ ભગવાન-શાંતિનો રોગ થવાથી, પિતે શાંતિ સ્વરૂપ હોવાથી અને બીજાઓને શાંતિ કરનાર હેવાથી “શાંતિ” આ સામાન્ય અર્થ થ અને ભગવંતના ગર્ભના મહિમાથી દેશમાં ઉત્પન્ન થયેલા મરકીના ઉપદ્રવની શાંતિ થવાથી પુત્રનું નામ “શાંતિ” રાખ્યું એ વિશેષ અર્થ.
(૧૭) શ્રી કુંથુનાથસ્વામી-કુ' એટલે પૃથ્વી, તેમાં રહેલા હોવાથી “કંથ” એ સામાન્ય અર્થ થયા અને પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે ગર્ભના પ્રભાવે માતાએ રને કુંથુ એટલે ઢગલો જોયે એટલે “કુંથુ” નામ પાડ્યું એ વિશેષ અર્થ.
(૧૮) શ્રી અરનાથસ્વામી-સર્વોત્તમ મહા સારિક કુલમાં તે કુલની આબાદી માટે જે ઉત્પન્ન થાય છે, તેમને વૃદ્ધ પુરુષોએ “અર” નામ આપેલું છે, આ સામાન્ય અર્થ થો તથા પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે ગર્ભના પ્રભાવથી માતાએ સ્વપ્નમાં રને અર એટલે આરે દેખ્યો તેથી ભગવાનનું “અર’ નામ રાખ્યું એ વિશેષ અર્થ