________________
ર૧૭
તે પાશ્વ ” આ સામાન્ય અર્થ થાય અને પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે ગર્ભના પ્રભાવે અંધકારમાં પણ માતાએ સર્પ દેખ્યો એટલે “પા ” નામ નામ પાડયું તથા પાર્થ નામના વૈયાવચ્ચ કરનાર યક્ષના પણ પ્રભુ નાથ હોવાથી પાર્શ્વનાથ એ વિશેષ અર્થ.
(૨૪) શ્રી વર્ધમાનસ્વામી-જ્યારથી ઉત્પન્ન થયા ત્યારથી જ્ઞાનાદિ ગુણએ વૃદ્ધિ પામે તે “વર્ધમાન” આ સામાન્ય અર્થ થયે અને ભગવંત જ્યારથી ગર્ભમાં આવ્યા ત્યારથી તેઓનું જ્ઞ કુલ ધનધાન્ય, આદિ સમૃદ્ધિથી અત્યંત વૃદ્ધિ પામવા લાગ્યું માટે ભગવંતનું “વર્ધમાન” નામ રાખ્યું એ વિશેષ અર્થ.
આ રીતે શ્રી ઋષભદેવ આદિ ચોવીશ તીર્થકર ભગ વંતના સામાન્ય વિશેષ અર્થ બેધક નામે પૂર્ણ થયા. - શ્રી અરિહંત ભગવંતેનાં નામ અને ગોત્ર સાંભળવાથી, તેમની સ્તુતિ કરવાથી જીવને મહાન ફલ થાય છે. કારણ કે તે મહા-મંગળ સ્વરૂપ છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના રેલ્મા અધ્યયનમાં ફરમાવ્યું છે કેપ્રશ્ન-હે ભગવન્! શ્રી જિનેશ્વર દેવના સ્તવન અને તુતિરૂપી મંગલ વડે જીવ શું ઉપાર્જન કરે ? ( ઉત્તર-શ્રી જિનેશ્વર દેવના સ્તવન અને સ્તુતિરૂપી મગલ વડે જીવ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને બેવિલાભને ઉપાર્જન કરે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને બેધિ લાભથી