________________
૨૨૦
પરમ્પરાની પ્રાપ્તિના હેતુભૂત હોવાથી શ્રી અરિહતેનું પૂજન, અભિગમન, વન્દન અને પર્યું પાસન આદિ સજજને માટે ન્યાયયુક્ત છે. શ્રી અરિહંતેને પૂજનની જરૂર નથી, તે પણ પૂજકને કલ્યાણપરંપરાના કારણભૂત હેવાથી કૃતાર્થ એવા શ્રી અરિહતેની પૂજા અવશ્ય કર્તવ્ય છે. શ્રી અરિંહ તેની પૂજા તેમના બિંબોની પૂજા દ્વારા થઈ શકે છે. સંસારી આત્માઓ ધર્મ કરવામાં પ્રાયઃ આળસુ, કષ્ટભીરૂ અને પ્રમાદી હોય છે. તેવા જીને શ્રી જિનેશ્વરદેવેની શાન્ત આકાર વાળી પ્રતિમાઓ વિગેરે જોઈને કર્મને ક્ષયોપશમ થાય છે. કર્મને લાપશમ થવામાં શાસ્ત્રકારોએ કવ્યાદિને હેતુ માનેલા છે. શ્રી જિનેશ્વરના મનહર બિ બે, એ ઉત્તમ ત્તમ દ્રવ્ય છે. શ્રી જિનમંદિર એ ઉત્તમ ક્ષેત્ર છે. પૂજન વખતને કાળ તથા ભાવ પણ ઉત્તમ હોય છે. ઉત્તમ પ્રકા૨ના દ્રવ્યાદિની સામગ્રી મળવાથી મોહરૂપી મલ ઘટે છે. મોહનીયાદિ કર્મ પ્રકૃતિને ઉપશમ, ક્ષયે પશમ કે ક્ષય થાય છે. મેહનીને ઉપશમાદિ થવાથી ચિત્ત પ્રસન્ન-વચ્છનિર્મળ થાય છે. ચિત્ત નિર્મળ થવાથી શ્રી જિનવચન પ્રત્યે શ્રદ્ધા આવિર્ભાવ પામે છે. તેથી શ્રી જિનવચનનું શ્રવણ થાય છે અને શ્રવણથી સમ્યગ્ગદર્શનાદિ ગુણોને લાભ થાય છે. સમ્યગદર્શનાદિ ગુણેને પ્રાપ્ત થયેલા આત્માઓને પણ શ્રી જિનપ્રતિમાદિના દર્શન, વન્દન, પૂજનાદિવડે પ્રમાદાદિ દૂર થાય છે, સંવેગાદિ વધે છે અને શ્રી જિનગુણના ધ્યાનમાં મન એકાગ્ર થાય છે અને એથી પરમ શમરસ ભાવની પ્રાપ્તિ થાય છે.