________________
૧૯૮
છઠ્ઠા સ્વપ્નનું રહસ્ય કવિવર આ પ્રમાણે દર્શાવે છે – છઠું સ્વને ચંદ્ર વિલેકી; નીલ કમળ વિકાસેઝ, તિમ ભાવજીવના હૃદયકમળમાં, તુજ સુત એમ પ્રકાશે;
સુણે ભવિ પ્રાણીજી રે. (૬) - કમળ-પુષ્પ જેમ ચંદ્રદર્શનથી અતિશય પ્રફુલિત થાય છે, તેમ શ્રી તીર્થંકર પ્રભુના દર્શન માત્રથી ભવિ જીવનાં હૃદયરૂપી કમળ પ્રફુલ્લિત થશે, એમ આ ચંદ્રનું સ્વપ્ન સૂચવે છે. ચંદ્રમાં કુદરતી રીતે જ એવું સામર્થ્ય અથવા પ્રભાવ રહેલું છે કે તેને ઉદય થતાંની સાથે જ કમળની પાંદડીઓ વિકસિત-પુલકિત તથા વિસ્તારિત થયા વિના રહેતી નથી. ચંદ્રને એ માટે કશે પ્રયત્ન કરે પડતું નથી; તેવી જ રીતે પવિત્ર આત્માઓ અને નિર્દોષ પુરુષસિંહમાં કઈ એવું સામર્થ્ય પ્રકટે છે કે તેમના દર્શન માત્રથી ભવિ છનાં અંતઃકરણમાં કુદરતી રીતે પ્રમોદભાવ તથા ભક્તિભાવ સ્કુર્યા વિના રહેતું નથી. પવિત્ર આત્માઓ ભલે વાણીથી કે ક્રિયાથી કાંઈ ઇસારે સરખે પણ ન કરે, તથાપિ તેમની શાંત-સૌમ્ય-પ્રભાવિશિષ્ટ–ચંદ્રોપમ કાંતિ જ જગતના મુમુક્ષુઓને એવું અદ્દભુત આકર્ષણ કરે છે કે ભવિ જ એવા નિસ્પૃહી તથા વીતરાગ પુરુષના ચરણને આશ્રય લીધા વિના રહી શકતા નથી. જો કે આજે એવા વીતરાગ સર્વજ્ઞ પુરુષરૂપી ચંદ્રનો અભાવ છે તે પણ આપણું એટલું સૌભાગ્ય છે કે તીર્થકર ભગવાનની મૂર્તિ તથા તેમની અમૃતમયી સૂત્રબદ્ધવાણું અને તે વાણીને આપણે હદય સુધી પહોંચાડનારા ગીતાથ મહાપુરુષે-જ્યાં સુધી વિદ્ય