________________
૧૩૮ જે વખતે તીર્થકર ભગવાન નિર્વાણ પામે છે તે જ વખતે અવધિજ્ઞાનથી ભગવાનના નિર્વાણને જાણીને પરિવાર સહિત ચાસઠ ઈન્દ્રો નિર્વાણભૂમિમાં આવે છે. ગોશીર્ષ ચંદન વગેરે સુગંધિ પદાર્થોથી ભગવંતના દેહને અંતિમ સંસ્કાર કરે છે અને તમામ શાશ્વત ચેત્યોમાં અષ્ટાલિકા મહોત્સવ કરે છે.
આ રીતે શ્રી તીર્થકર ભગવતેનું અનાદિ સંસારમાં પરિભ્રમણ, તેઓનું વન, તેઓને જન્મ, તેઓને ગ્રહવાસ, તેઓની દીક્ષા, તેઓનું કેવળજ્ઞાન તેઓને નિર્વાણ-મક્ષ વગેરે બધું જ ખરેખર અલૌકિક હોય છે. અને તેથી જ શ્રી તીર્થકર ભગવંતે સંસારના બીજા સર્વ જીવોથી સર્વ પ્રકારે ઉત્તરમ હેય છે.
उत्तमोत्तमतया तया तया, विश्वविश्वसुखदायिनो जिनाः । अक्षयाखिलसुखादिमेदुराः प्रापुरव्ययं पदं महोदया ॥१॥
ભાવાર્થ-શ્રી તીર્થકર ભગવંતે કે જેઓ મહાન ઉદયવાળા છે, કદિપણ ક્ષય ન માગે તેવા અક્ષય અને સંપૂર્ણ સુખ આદિમાં મગ્ન થયેલા છે. પોતે અવ્યય-મોક્ષપદને પ્રાપ્ત થયેલા છે અને ઉપર જણાવવામાં આવ્યું છે તેમ તે ભગવતે પિતાની છે તે પ્રકારની ઉત્તમોત્તમતા વડે વિશ્વને સર્વ પ્રકારે સર્વ સુખ આપનાર છે.
| ઝિન જયતુ સર્વત્ર |