________________
શ્રી અરિહંત પરમાત્મા ( ભવઅટવીમાં સાર્થવાહ )
શ્રી અરિહંત પરમાત્માને આ વિશ્વ ઉપર મહાન ઉપકાર છે. તે ઉપકારને સમજવા માટે ભવાટવીનું સ્વરૂપ સમજવું જરૂરી છે.
આ સંસાર એક ભયંકર અટવી છે. અટવીમાં જેમ સીધા અને વાંકા માર્ગો હોય છે, સિંહ, વાઘ આદિ હિંસક પશુ
ને ભય હોય છે, વતી તેમાં અનેક પ્રકારના વૃક્ષો હોય છે, એ વૃક્ષની વિવિધ છાયા, પત્રો, પુપ અને ફળે હોય છે, તથા અટવીમાં જેમ ખાડા-ટેકરા અને ચોર લૂંટારૂઓના ઉપદ્ર હોય છે, તેમાં ફસાવનારા ધાડપાડુઓ હોય છે
* મહા ગોપ મહામાહણ કહીએ, નિર્ધામક સથ્થવાહ; ઉપમા એહવી જેહને છાજે, તે જિન નમીએ ઉછાંહ રે. ભવિકા
શ્રી અરિહંત પરમાત્માને શાસ્ત્રમાં મહાગોપની, મહામાહણની, મહાનિર્ધામકની તથા મહાસાર્થવાહની ઉપમા આપવામાં આવી છે તેમાંથી અહીં ભવ અટવીમાં શ્રી અરિહંત પરમાત્માનું કેવી રીતે સાથવાહપણું ઘટે છે, તે વિગત સમજાવવામાં આવી છે.