________________
કિર
હુરંત અને ઘેર દાવાગ્નિ પણ એ અટવીમાં સળગી રહ્યો હોય છે. અપ્રમત્ત પણે તે દાવાગ્નિ ઓલવવા માટે થોડી પણ બેદરકારી બતાવવામાં આવે, તે તે નિશ્ચિતપણે બાળી નાંખે છે.
વળી દુઃખે ઉલ્લંઘન કરી શકાય એવા ઉંચા ઉંચા પર્વત એ રસ્તામાં આવે છે. સાવધાન બનીને તેને ઓળંગવામાં ન આવે, તે નિયમા મૃત્યુ થાય છે.
તે માર્ગે આગળ ચાલતાં અત્યંત ગૂંચવાયેલી અને ગહન ઘાટી વંશની જાળ આવે છે, તે એકદમ ઉલંઘી જવા લાયક છે. કારણ કે ત્યાં રહેવાથી ઘણા દેશે ઉત્પન્ન થાય છે.
ત્યારબાદ એ માર્ગે આગળ ચાલતાં એક મોટે ખાડો આવે છે, તે ખાડાની બાજુમાં જ મરથ નામને વાચક કાયમને માટે ઉભું રહે છે. કેઈ ત્યાંથી પસાર થાય છે, તેને તે કહે છે કે “ આ ખાડાને થડે પૂરતા જાઓ.” પણ તેનું વચન બિલકુલ સાંભળવા લાયક નથી. કારણ કે તે ખાડો કદી પૂરાતે જ નથી. જેમ જેમ તેને પૂરતા જાઓ, તેમ તેમ તે વધારે ને વધારે મોટો થતો જાય છે, તેને પૂરવાથી તે આજુબાજુના માર્ગોને પણ ભાંગી નાખે છે એ તે વિચિત્ર ખાડે છે. તેને પૂરવાનું મને રથ નામને તે યાચક કહે છે, તે વાત પણ જ્યાં સાંભળવા લાયક નથી, ત્યાં, વળી તે પૂરવા માટે તે રેકવાનું હોય જ શાનું ?