________________
૧પર
(૧૦) રત્નમય ધ્વજ પણ ઉંચા કનકમય દંડ ઉપર રત્નની અનેક બીજી નાની ધ્વજાઓથી દીપી રહ્યા હોય છે.
(૧૧) પાદપીઠ ( બેઠા પગ મૂકવાને બાજોઠ) સહિત સિંહાસન પણ અદ્ધર સાથે જ ચાલે છે.
(૧૨) તેમજ પ્રભુના માથે એકેકથી મોટા એવા ત્રણ છત્ર મતીઓના ઝુમખાથી પરિવરેલા સાથે જ ચાલે છે.
(૧૩) વળી પ્રભુને ચાલતાં બે બાજુ યક્ષના હાથમાં ચામર વીંઝાય છે.
(૧૪) પ્રભુ જ્યાં સ્થિર થાય ત્યાં જોજન જેટલી ભૂમિ પર ધૂળ ન ઉડે એ માટે સુગંધિત જલને વરસાદ થઈ જાય છે.
(૧૫) પ્રભુને દેશના દેવા માટે એક જોજન પ્રમાણ ભૂમિ પર ભવનપતિ, તિષ અને વૈમાનિક દે અનુક્રમે ચાંદીને સેનાને, ને રત્નને એમ ત્રણ કિલા રત્નની કાંગરીવાળા એકેકની ઉપર રહે છે.
(૧૬) એના પર પુષ્પની વૃષ્ટિ થાય છે. એ પુના ડીટીયા નીચા હોય છે અને પાંખડી ઊંચી હોય છે. ત્યાં ચાલતા-બેસતા તિર્યંચ મનુષ્યથી એને પરમાત્માના અતિશયના પ્રભાવે કિલામણા નથી થતી; પણ ઉલટું વિકસ્વરતા અનુભવે છે.
(૧૭) સમવસરણની મધ્યમાં અશોક વૃક્ષ અય છે, તે આખા સમવસરણમાં આવેલા છેને છાયા આપે છે. એની