________________
૧૮૭
પ્રભુ સર્વજ્ઞ બન્યા. તેથી એમનામાં હવે લેશમાત્ર અજ્ઞાનતા નથી. એટલે કે જગતમાં કયારેય, કયાંય પણ કઈ પણ બનેલ પ્રસંગ, પદાર્થ કે પ્રવૃત્તિને ન જાણવા-જોવાપણું નથી. એ બધું જેવા મુજબ જ જે ત જેવા રૂપે છે, તે રૂપે જ એ ઉપદેશ છે. મોક્ષ-સંસારનું વરૂપ અને મોક્ષ માર્ગ બરાબર વર્ણવે છે. તેથી તેમાં અસત્યને લેશ પણ નથી હેતે. વળી પૂર્વોક્ત રાગ-દ્વેષાદિ અઢાર દૂષણે નીકળી જવાથી સાચું જાણવા છતાંય એ દેના નિમિત્ત બોલાતું જૂ ડું બોલવાને પણ, અહીં અવકાશ નથી, માટે જ સર્વજ્ઞ વીતરાગ પરમાત્માનો જ ઉપદેશ યથાર્થ, સત્ય, વિશ્વસનીય અને આદરણીય હોય છે.
(૧૧) પૂજાતિશય - શ્રી અરિહંત પરમાત્મા પિતાના ચરમ ભવમાં સાધુપણાને સ્વીકાર કરીને અપ્રમત્ત સાધના દ્વારા જ્યારે તેઓ વીતરાગ-સર્વજ્ઞ બને છે ત્યારે તીર્થંકરપણાનું પુણ્ય પ્રગટ થાય છે અને તે વખતે સ્વર્ગમાંથી ઈન્દ્રો અને અનેક દેવદેવીઓ અહીં આવી ભગવંતની ભારે પૂજાભક્તિ કરે છે તેઓ આઠ પ્રાતિહાર્યોની શભા કરે છે. પ્રભુના સમવસરણની શોભા અલૌકિક હોય છે. તે સમવસરણમાં પ્રભુની આસપાસ બાર પર્ષદા બેસે છે, તેમાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, એ ચાર, અને વ્યંતર, ભવનપતિ, જ્યોતિષી, વૈમાનિકના દેવ તથા દેવીએ એ આઠ, એમ કુલ બાર પર્વદા હેય છે. પ્રભુની સામે જમણા હાથે સૌથી આગળ