________________
૧૭૮
ત્રીજા પ્રાતિહાર્ય “દિવ્યવનિ' વિષે તેઓશ્રી પ્રકાશે
स्थाने गभीर हृदयोदधिसंभवायाः, पीयूषतां तव गिरः समुदीरयंति । पीत्वा यतः परमसंमदसंगभाजो,
भव्या ब्रजति तरसाऽप्यजरामरत्वम् ॥ ભાવાર્થ - સમુદ્રમંથનને અંતે સમુદ્રમાંથી જેવી રીતે અમૃત બહાર આવ્યું હતું અને તેના પાનથી દેવતાઓ અમર બન્યા હતા તેવી રીતે હે પ્રભે ! આપની વાણ ગંભીર હદયરૂપી સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલ અમૃતને જ બહાર કાઢે છે, તે સ્વાભાવિક છે. કારણ કે તેના પાનથી ઉત્કટ હર્ષવાળા ભવ્યાત્માઓ જલ્દીથી અજર-અમર પદને પામી જાય છે. અર્થાત આપને દિવ્યવનિ અને અમૃત એક સરખા જ સુખકર તથા કલ્યાણુકર છે. ચેથી પ્રાતિહાર્ય “ચામર અંગે તેઓશ્રી દર્શાવે છે કે - स्वाभिन् ! सुदूरमवनम्य समुत्पतंतो, मन्ये वदंति शुचयः सुरचामरौघाः ।। येऽस्मै नतिं विदधते मुनिपुंगवाय, ते नूनमूर्ध्वगतयः खलु शुद्धभावाः ॥ ભાવાર્થ - હે સ્વામિન્! મને એમ લાગે છે કે પવિત્ર દેવતાઓ વડે વિજાતા ચામરેના સમૂહ કે જે અત્યંત નીચે નમીને ઉછળે છે તેને ઉદ્દેશ મનુષ્યોને એ ઉપદેશ