________________
૧૮૧ सान्निध्यतोऽपि यदि वा तव वीतराग, नीरागतां व्रजति को न सचेतनोऽपि । ભાવાર્થ - ભગવાનના મહાતેજસ્વી ભામંડલને લીધે અશોકવૃક્ષની પત્રકાંતિ તથા રક્તતા પણ લપાઈ ગઈ, તેનું કારણ સ્પષ્ટ જ છે કે રાગ-દ્વેષ રહિત શ્રી વીતરાગ ભગવાનની સમીપતાના પ્રભાવે ચેતનવંત પ્રાણુ નિરાગતા કિંવા નિર્મમત્વ ભાવને પામે એમાં આશ્ચર્ય જ નથી. પ્રભુની વાણી સાંભળવાથી જે અનહદ લાભ થાય છે તેને એક બાજુ રાખીએ, પ્રભુના દર્શનથી જે દેવી આનંદ પ્રગટે છે તેને પણ એક તરફ રહેવા દઈએ તે પણ પ્રભુની સમીપ તામાં રહેવા માત્રથી પણ કેટલો લાભ થાય છે તેનું આ લોકમાં સૂચન કરવામાં આવ્યું છે.
સાતમા પ્રાતિહાર્ય “દુંદુભિ' વિષે કેવી ભાવના સેવવી જોઈએ એ દર્શાવતા તેઓશ્રી કહે છે કે -
भो भो: प्रमादमवधूय भजध्वमेन,मागत्य निवृतिपुरि प्रति सार्थवाहम् । एतन्निवेदयति देव जगत्त्रयाय, मन्ये नदन्नभिनभः सुरदुन्दुभिस्ते ।। ભાવાર્થ- પિતાની ગજેના વડે આકાશને ઘેરી લેતો અને શoદાયમાન કરતે દેવદુંદુભિને નાદ જગતને એમ સંબોધી રહ્યો છે કે “હે ત્રણ જગતના પ્રાણીઓ ! આલસાદિ અંતરંગ શત્રુઓને ત્યજી દઈ આ શ્રી તીર્થકર પ્રભુ કે જે તમને મોક્ષમાર્ગ દર્શાવનાર