________________
૧૭૭
એ પ્રકારે જિનેશ્વર ભગવાનના આઠ પ્રાતિહાર્યો છે. ભગ વાન જ્યાં વિહાર કરે છે, અથવા સમવસરે છે, ત્યાં ત્યાં દેવતાઓ પિતે ભક્તિભાવથી પ્રભુની કાયાથી બાર ગણું વિસ્તીર્ણ શાખાવાળું અશોકવૃક્ષ, ફૂલની વૃષ્ટિ, પ્રભુની દેશના મનહર રૂપ ધારણ કરે એ માટે સ્વરની પૂર્તિ, ભગવાનને વિજવા માટે રત્નજડિત વેત ચામ, ભગવાનને બેસવા માટે સુવર્ણમય સિંહાસન, પ્રભુના મસ્તકના પાછલા ભાગે જતિ મંડલ અને પ્રભુના મસ્તક ઉપર ત્રણ છત્ર અને આકાશમાં દુંદુભિ વાજિંત્ર રચે છે. આ પ્રાતિહાર્યોનું ધ્યાન કરતી વેળા આપણે કેવી ભાવના ભાવવી જોઈએ તેના ઉપર આચાર્ય ભગવંત શ્રી સિદ્ધસેન દિવાકર સૂરીશ્વરજી મહારાજાએ બહુ જ કવિત્વભરી વાણીમાં સુંદર રીતે કહ્યું છે તે અહીં હવે પછી જણાવીએ છીએ.
પહેલા “અશોકવૃક્ષના પ્રાતિહાર્ય વિષે તેઓશ્રી ફરમાવે છે કે –
धर्मोपदेशसमये सविधानुभावा,दास्तां जनो भवति ते तरुरप्यशोकः । અષ્ણુને વિના મહીસોf, किं वा विबोधमुपयाति न जीवलोकः ।।
ભાવાર્થ - હે પ્રભુ ! આપ જ્યારે ધર્મોપદેશ આપે છો ત્યારે આપની પાસે વૃક્ષ પણ અશોક થઈ જાય છે. તે પછી મનુષ્યો કરહિત થાય એમાં આશ્ચર્ય જ શું છે ? વળી તેમ બને એ અસ્વાભાવિક પણ નથી, કારણ કે સૂર્યો.
૧૨