________________
શ્રી અરિહંત પરમાત્માના બાર ગણે.
શ્રી અરિહંત પરમાત્માના ચોત્રીસ અતિશય અને વાણીના પાંત્રીસ અતિશામાં કે તેમના બાર ગુણોને સમાવેશ થઈ જાય છે. છતાં શ્રી અરિહંત પરમાત્માની આરાધના મુખ્યપણે બાર ગુણથી થાય છે તેથી શ્રી અરિ હંત પરમાત્માના બાર ગુણેનું સ્વતંત્ર પ્રકરણ અત્રે આપવામાં આવ્યું છે, તેમાં પ્રથમ આઠ પ્રાતિહાર્ય સંબંધીને એક પ્રાચીન કલેક ભાવાર્થ સહિત આપી પછી દરેક પ્રાતિહાર્યને એક એક કલેક ભાવાર્થ સહિત આપવામાં આવશે એ રીતે પ્રભુના અષ્ટ પ્રાતિહાર્ય યુક્તપણાના ૮ ગુણે દર્શાવીને પછી અપાયાપગમાતિશય, જ્ઞાનાતિશય પૂજાતિશય અને વચનાતિશય એ નામના ચાર ગુણે દર્શાવી આ પ્રકરણમાં પ્રભુના બાર ગુણે બતાવવામાં આવશે.
અશોકવૃક્ષ મુકુદાવૃષ્ટિ વિષ્ણનિયામણાસનં વા भामंडलं दुन्दुभिरातपत्रं सत्प्रातिहार्याणि जिनेश्वराणाम् ।।
ભાવાર્થ-અશોકવૃક્ષ, દેવતાઓ વડે થતી પુષ્પવૃષ્ટિ, દિવ્ય અવનિ, ચામર, સિંહાસન ભામંડલ દુભિ અને છત્ર