________________
૧૫૭
હવે અહીં વાણીના પાંત્રીસ અતિશની થેડીક વિશેષ વિગત જોઈએ.
૧ સંસ્કારવાળી–એટલે કે સંસ્કૃત વગેરે લક્ષણવાળી. જેમ કાવ્યમાં શબ્દાલંકારો અને અર્થાલંકારે હોય છે, એમ પ્રભુની વાણીમાં શબ્દ અને અર્થના એવા તો અનેક સુંદર લક્ષણે અને અલંકારો હાથ છે, કે એકલા એના શ્રવણમાત્રથી જ શ્રોતા દીર્ઘ કાળ સુધી એક સરખી આતુરતા અને રસથી સાંભળવામાં લીન થઈ જાય છે.
૨ ઉદાત્ત -એટલે માંદા સુરવાળી નાહ, કે બેબડાતા અક્ષરવાળી નહિ, પણ દૂરવાળાનેય બરાબર સંભળાય એવા ઉંચા સુરવાળી અને સ્પષ્ટ ઉંચા અક્ષરવાળી હોય છે.
૩ ઉપચાર પરીત-અર્થાત તે છડી શિષ્ટાચાર રહિત એવી ગામડીયા ભાષા નહિ પણ ઉદાર, શિષ્ટાચારી ને સંસ્કારી જન બાલે તેવી ભાષા. એથી એ વિદ્વાનોને પણ ખૂબ જ ગમી જાય છે.
૪ મેઘગંભીર-પ્રભુની જનગામિની વાણું, ઉપર કહ્યું તેમ, માત્ર ઉદાત્ત અર્થાત્ એકલી ઊંચા અવાજવાળી નહિ, પણ વાદળાનો ગડગડાટ થતાં કે સમુદ્રનું મંથન કરતાં જે ગંભીર ધ્વનિ નીકળે એવા ગભીર ઘષવાળી હોય છે.
પ પ્રતિનાદયુક્ત-શબ્દ કે ઘંટને નાદ જાણે ગુફામાં અથડાઈ રણકાવાળો પડઘો પાડે એવા રણકાવાળી– પડઘાવાળી હોય છે, વાણીની પાછળ કેમ જાણે ઘંટનો મધુર આલાપભર્યો રણકાર ન ચાલતે હેય, એવી વાણી.