________________
પરીત ચિત્તવાળા જંતુઓ આ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છે. હું તેઓને આ ભયંકર સંસારથી, આ તારક પ્રવચન વડે પાર ઉતારૂં.
___एवं च चिन्तयित्वा यथा यथा परेषामुपकारो भवति तथा तथा चेष्ठते ।
એ રીતે વિચાર કરી છે જે પ્રકારે બીજાઓને ઉપકાર થાય, તે તે પ્રકારે ઉદ્યમ કરે છે.”
શ્રી જિનેશ્વરદેવના આત્માઓની ત્રીજા ભવની એ ઉત્તમ અવસ્થાનું વર્ણન કરતાં સુવિહિત શિરોમણિ. ૧૪૪૪ ગ્રન્થરત્નના પ્રણેતા સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિ મહારાજા પણ “ગબિન્દુ' ગ્રન્થરત્નમાં નીચે મુજબ ફરમાવે છે કે– मोहान्धकारगहने, संसारे दुःखिता बत । सत्त्वाः परिभ्रमन्त्युच्चैः, सत्यस्मिन्धर्मतेजसि ॥ १ ॥ अहमेतानतः कृच्छाद्, यथायोगं कथंचन । अनेनोत्तारयामोति, वरबोधिसमन्वितः ॥ २ ॥ करुणादिगुणोपेतः, परार्थव्यसनी सदा । तथैव चेष्टते धीमान् , वर्द्धमानमहोदयः ॥ ३ ।। तत्तत्कल्याणयोगेन, कुर्वन् सत्त्वार्थमेव सः । तीर्थकृत्त्वमवाप्नोति. परं सत्त्वार्थसाधनम् ॥ ४ ॥
શ્રી સર્વજ્ઞપ્રણત ધર્મરૂપી ઉદ્યોત જગતમાં વિદ્યમાન હોવા છતાં અહે ! મિથ્યાત્વાદિ મોહાંધકારથી વ્યાપ્ત દુખિત પ્રાણીઓ ભવમાં-સંસારમાં પરિભ્રમણ કરે છે– (૧)