________________
રહે એવાં વચન જ હોતા નથી. દરેકે દરેક વચન નિશ્ચિત બધ કરાવે છે. ટંકશાળા નાણાંની જેમ વચન સીધા હદયમાં જઈને શ્રોતાને જચી જાય છે.
૧૨ અ ત્તર રહિત-એટલે કે પ્રભુના એક પણ વચન પાછળ કેઈ ઉત્તર, પ્રશ્નોત્તર કરી દૂષણ કાઢી શકે એવું હેતું નથી. કોઈ પણ વાપૂજાળના કે બીજા કૂષણ પ્રભુના વચનમાં ઉભા થઈ શકતા નથી.
૧૩ અતિ હૃદયંગમ-એટલે કે હૃદયને સુગ્રા અને ગમી જાય એવી એ વાણું હોય છે.
૧૪ સાકાંક્ષ-વાણીનાં વચને એટલે કે પદે અને વાકયે અરસપરસમાં એટલે કે પદે અને વાક્યો એક બીજાની સાથે અપેક્ષાવાળા ને સંગતિવાળા હોય છે, પણ નિરાકાંક્ષ અર્થાત્ કોઈ વચનને બીજા સાથે કાંઈ જ સંબંધ નહિ પણ છૂટાછવાયા અર્થવાળા હોય એવું નથી હોતું. એક પછી બીજુ વચન નીકળે તે પૂર્વ પૂર્વની સાથે વ્યવથિત સંબંધવાળું, અને સળંગ ધારાબદ્ધ પદાર્થને વર્ણવ. નારું હોય છે.
૧૫ ઔચિત્ય-પ્રભુની વાણીમાં ભારોભાર ઔચિત્ય ભરેલું હોય છે એટલે કે શબ્દ શબ્દ પ્રકરણ-પ્રસ્તાવ, અને દેશ-કાળને ઉચિત હોય છે. તેથી શ્રોતા ઉપર ચમકારિક રીતે સારી અસર ઉત્પન્ન કરે છે. તેમ એમાં કયાંય કેઈને અનુચિત લાગીને મનને ખોટું લાગવા જેવું બનતું નથી.