________________
૧૬t
,
તરસ, ટાઢ, ગરમી વગેરે કેઈપણ પીડા લેશમાત્ર રહેતી નથી. એટલી અનુપમ મધુરતા એમાં હોય છે.
૨૧ પ્રશંસનીય-પ્રભુની એ વાણું સાંભળી જનારા એના અનુપમ ગુણોથી આકર્ષાઈને બહાર પણ બીજું બધું ભૂલીને એકલી એની જ પ્રશંસા કર્યા કરે છે. લેકમાં ચારેબાજુ જિનવાણુના ગુણગાનના ઘોષ ચાલી રહ્યા હોય છે.
૨૨ અમર્મવેધી-પ્રભુની વાણી કોઈપણ શ્રોતાના મર્મને ન ખેલનારી હોય છે. નહિતર અનંતજ્ઞાની પ્રભુની જાણ કારી તે બધી જ છે, પણ બીજાની ગુપ્ત-રહસ્યમય વાતાને બહાર ન પ્રકાશવાની પરમગંભીરતા પ્રભુમાં સાગરથી પણ અધિક હોય છે.
૨૩ ઉદાર-પ્રભુની વાણી ઉદાર હોય છે અર્થાત્ કહેવાને વિષય ઉદાર એટલે કે મહાન અને ગંભીર હોય છે, નહિ કે અલ્પ અને તુચ્છ.
૨૪ ધર્માર્થપ્રતિબદ્ધ-પ્રભુની વાણી ધર્મ અને અર્થ સાથે સંબદ્ધ છે. વચનને સારો અર્થ પણ છે, અને વાણી ધર્મ ઉપદેશ કરનારી હોય છે.
૨૫ કારકાદિને અવિપર્યાસ-પ્રભુની વાણીમાં વ્યાક૨ણની દષ્ટિએ કર્તા-કર્મ વગેરે છે કારક, એકવચનાદિ વચન, પુલિંગ વગેરે લિંગ, વર્તમાન વગેરે કાળ. ઈત્યાદિમાં કયાંય જરા પણ ખલના, ઉલટ સુલટ, કે ફેરફાર જેવું હોતું નથી.