SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬t , તરસ, ટાઢ, ગરમી વગેરે કેઈપણ પીડા લેશમાત્ર રહેતી નથી. એટલી અનુપમ મધુરતા એમાં હોય છે. ૨૧ પ્રશંસનીય-પ્રભુની એ વાણું સાંભળી જનારા એના અનુપમ ગુણોથી આકર્ષાઈને બહાર પણ બીજું બધું ભૂલીને એકલી એની જ પ્રશંસા કર્યા કરે છે. લેકમાં ચારેબાજુ જિનવાણુના ગુણગાનના ઘોષ ચાલી રહ્યા હોય છે. ૨૨ અમર્મવેધી-પ્રભુની વાણી કોઈપણ શ્રોતાના મર્મને ન ખેલનારી હોય છે. નહિતર અનંતજ્ઞાની પ્રભુની જાણ કારી તે બધી જ છે, પણ બીજાની ગુપ્ત-રહસ્યમય વાતાને બહાર ન પ્રકાશવાની પરમગંભીરતા પ્રભુમાં સાગરથી પણ અધિક હોય છે. ૨૩ ઉદાર-પ્રભુની વાણી ઉદાર હોય છે અર્થાત્ કહેવાને વિષય ઉદાર એટલે કે મહાન અને ગંભીર હોય છે, નહિ કે અલ્પ અને તુચ્છ. ૨૪ ધર્માર્થપ્રતિબદ્ધ-પ્રભુની વાણી ધર્મ અને અર્થ સાથે સંબદ્ધ છે. વચનને સારો અર્થ પણ છે, અને વાણી ધર્મ ઉપદેશ કરનારી હોય છે. ૨૫ કારકાદિને અવિપર્યાસ-પ્રભુની વાણીમાં વ્યાક૨ણની દષ્ટિએ કર્તા-કર્મ વગેરે છે કારક, એકવચનાદિ વચન, પુલિંગ વગેરે લિંગ, વર્તમાન વગેરે કાળ. ઈત્યાદિમાં કયાંય જરા પણ ખલના, ઉલટ સુલટ, કે ફેરફાર જેવું હોતું નથી.
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy