________________
૧પ૪
શગ-સર્વજ્ઞતાની જેમ તેમને તીર્થંકર નામકર્મનો ઉદય પ્રગટ થાય છે. બીજા પણ યશ-આદેય વગેરેના પુણ્યના ઉચ્ચ દળીયાં ઉદયમાં આવે છે. આ બધાના પ્રતાપે સહજ ભાવે અહીં નીચે દર્શાવવામાં આવતી આ અગીઆર વિશેષતાઓ પ્રગટે છે.
(૧) શ્રી તીર્થંકર પ્રભુ વિચરતા હોય ત્યાં આસપાસના સવાસે જનમાં આ નીચે દર્શાવેલા આઠ પ્રકારના ઉપદ્ર પૂવે થયા હોય તે શાંત થઈ જાય છે, અને નવા થતા નથી.
(૧) તાવ વગેરે રોગે. (૨) પૂર્વના ચાલી આવેલા કે પરસ્પર જાતિના વિર
વિધ. (૩) વિશેષ પ્રમાણમાં ઉંદર, ખડમાંકડી, તીડ વગેરે
ઉપદ્રવ થાય છે તે. (૪) મારી-મરકી, લેગ, કોલેરા કે તેના બીજા જીવ
લેણ ઉત્પાત. (૫) અતિવૃષ્ટિ-વરસાદની હેલી, કે જેમાં મોટા નુક
શાન થાય. અવૃષ્ટિ-તન વરસાદ જ નહિ કે અતિ અલ્પ વરસાદ જેથી લેક પાણી વિના અને ગરમીથી
પીડાય. (૭) દુષ્કાળ–જેમાં ધાન્યની અછત થઈ જાય અને
ભિક્ષા ન મળે. અને–