________________
૧૪૫
લાંબે માર્ગ એ દેશવિરતિ-શ્રમણોપાસક માર્ગ છે. ઈસિતપુર એ મોક્ષ છે. સિંહ અને વાઘના સ્થાને રાગ અને દ્વેષ સમજવા.
મનહર વૃક્ષોની છાયા તુલ્ય સ્ત્રી આદિથી સંસક્ત વસતિઓ-રહેવાના સ્થાને છે.
પરિશાટિત અને શુષ્ક વૃક્ષોના સ્થાને નિર્દોષ વસતિરહેવાના સ્થાને સમજવા.
બે બાજુએ રહી બોલાવનાર પુરુષો પાસસ્થાદિ અકલ્યાણ મિત્રો સમજવા.
સાથેની સાથે ચાલનારા સાWિકે, એ સાધુઓ છે. દવાગ્નિના સ્થાને ક્રોધ છે. પર્વતના સ્થાને માન છે. વંશજાળના સ્થાને માયા છે. ખાડાને સ્થાને લોભ છે. જિંપાકફલ તુલ્ય પાંચ ઈન્દ્રિયેના શબ્દ, રૂપ, રસ, ગધ અને સ્પર્શાદિ પાંચ વિષયે છે.
બાવીશ પિશાચ એ બાવીશ પરિષહે છે. વિરસ અને અલ્પ ભોજન-પાનની જગ્યાએ પ્રાસુક અને એષણીય આહારાદિક છે.
પ્રયાણના સ્થાને નિરંતર ઉદ્યમ છે. રાત્રિએ બે પ્રહર ગમનના સ્થાને સ્વાધ્યાયકરણ છે.