________________
૧૪૯ (૧૧) પ્રભુની વાણી જોજન
સુધી સંભળાય, ને તે તિયચ-મનુષ્ય દેવતાની ભાષામાં પરિણમે. તે પાંત્રીસ અતિશયવાળી હોય
અતિશયેની થોડીક વધુ વિગત. દેવાધિદેવ શ્રી અહિંત પરમાત્માને આત્મા કેવી કેવી અલૌકિક શક્તિઓ ધરાવે છે, તેને ખ્યાલ આ ચોત્રીસ અતિશ ઉપરથી આવી શકે છે.
જન્મથી ચાર અતિશય. (૧) માતાના ગર્ભમાં આવતાં જ, પ્રભુને દેહ અદભુત તૈયાર થાય છે. સર્વોત્તમ દેવ-અનુત્તરવાસી દેવના દેહ કરતાં અતિશય ચઢીયાતા આહારકલબ્ધિના સુંદર દેહથી પણ અતિશય રૂપા દેહ ગણધરદેવને ગણાય છે, તેના કરતાં પણ અનંતગુણ લાવણ્ય-સૌંદર્યવાળું અને રૂપાળું તીર્થંકર પરમાત્માનું શરીર હોય છે. માતાના ગર્ભમાં આવા દેહનું નિર્માણ થવું એમાં શ્રી અરિહંત પરમાત્માની વિશિષ્ટ લોકોત્તર પુણ્યશક્તિ કામ કરે છે, પ્રભુના દેહના પુદુગલેની ગંધ પણ મનહર હોય છે. એ દેહમાં જીવનભર કદી રેગ થતા નથી, પરસે પણ થતા નથી, મેલ જામતે
* શ્રી અરિહંત પરમાત્માની વાણુને પાંત્રીસ ગુણોનું વર્ણન હવે પછીના પ્રકરણમાં આપવામાં આવશે.