________________
રતે ચાલતાં સાર્થવાહ અને તેમની સાથેના માણસો માર્ગને બને તેટલે સુધારતા જાય છે. વચમાં આવતી શિલાઓ વિગેરેમાં માના ગુણ અને દોષ જણાવનારા અક્ષરો પણ લખે છે, એ અક્ષરો ઉપથી આટલું ચાલ્યા અને આટલું ચાલવાનું બાકી રહ્યું, એની પાછળવાળાઓને ખબર પડે છે,
સાર્થવાહની આજ્ઞા મુજબ સાથે ચાલનારા જેમ શીધ્ર ઇચ્છિત સ્થાને પહોંચી જાય છે, તેમ પાછળ રહેલા પણ જેઓ સાર્થવાહના લખ્યા મુજબના માર્ગે ચાલે છે. તેઓ પણ ઈસિતપુર પહોંચી જાય છે.
જેઓ એ રીતિએ ચાલ્યા પણ નહિ અને ચાલતાં પણ નથી, પરંતુ રસ્તામાં મનહર વૃક્ષની છાયાદિમાં વિશ્રાંતિ લેવા ઉભા રહે છે, તેઓ ઈચ્છિત નગરે પહોંચ્યા પણ નથી અને પહોંચવાના પણ નથી
આ દૃષ્ટાંતરો ઉપનય એ છે કે–
સાર્થવાહની જગ્યાએ શ્રી અરિહંત પરમાત્માને સમજવા,
ઉદ્દઘોષણા એ તેમની ધર્મદેશના છે. મુસાફરના સ્થાને સંસારવત જીવે છે. અટવી એ સંસાર છે. સરળમાર્ગ એ સર્વવિરતિ સાધુમાગે છે.