________________
૧૭
यदेवमनुजाः सर्वे सौख्यमिन्द्रियसंभवम् । निर्विशन्ति निगबाधं, सर्वार्थप्रीणनक्षमम् ॥ १ ॥ सर्वेणातीतकालेन, यच्चभुक्तं महर्द्धिकैः । भाविनो यच्च भोक्ष्यन्ति, स्वादिष्टं स्वान्तरञ्जकम् ॥ २ ॥ अनन्तगुणितं तस्मा,-दत्यन्त स्वम्वभावजम् । एकस्मिन् समये सौख्यं, तद् भुञ्जते निरञ्जनम् ।। ३ ।। अनन्तज्ञानदर्शन शक्तिसौख्यमयास्ततः । त्रैलोक्यतिलकीभूता,-स्तत्र तिष्ठन्ति सर्वदा ॥ ४ ॥
ભાવાર્થ-ચાર નિકાયના સર્વ દે અને સર્વ મનુષ્ય ઈન્દ્રિયોના વિષયથી પ્રાપ્ત થતું, કોઈપણ પ્રકારની બાધા-અંતરાય વિનાનું, સર્વ ઈન્દ્રિયોને પ્રીતિ ઉત્પન્ન કરે એવું, જે સુખ વતી માનમાં ભોગવે છે, તથા મહર્તિક દેએ ભૂતકાળમાં જે સુખ ભગવ્યું છે અને ભવિષ્યમાં જે સુખ ભોગવશે તેને અનંત ગુણું કરવામાં આવે તે પણ તે સુખ નિરંજન-સિદ્ધ ભગવાનના એક સમયના સ્વાભાવિક અને અતીન્દ્રિય સુખની તુલનામાં ન આવે-સર્વ જીવોના સર્વકાલીન સર્વ સંસારજનિત સર્વ સુખે કરતાં સિદ્ધ ભગવંતનું એક સમયનું સુખ અનંતગુણું વધારે હોય છે. તે સિદ્ધ ભગવાન અનંતદર્શન અનંતજ્ઞાન, અનંત શક્તિ-સામર્થ્ય અને સદાકાળ અનંત સુખમાં તલ્લીન હોય છે. લેકના તિલક સમાન નિર્વાણ બાદ તેઓ સદા લોકના અંતે સિદ્ધશીલા ઉપર બિરાજી રહ્યા હોય છે.