________________
૧૦ કંઠની પૂજાથી મને આગમજ્ઞાનને પ્રકાશ સાંપડજે.
હૃદયકમળ ઉપશમ બળ, બાળ્યા રાગ ને રાષ; હિમ દહે વનખંડને, હૃદય તિલક સંતેષ, ૮ હે પરમાત્માનું !
સંસારમાં અનાદિકાળથી આત્માને દુઃખ આપતાં કર્મોને નાશ કરીને આત્માના અનંત સુખની શોધ કરવાનો આપે નિર્ણય કર્યો અને આ૫, કેઈ નાગરાજ કાંચળીનો ત્યાગ કરે તેમ સંસારને ત્યાગ કરી ચાલી નીકળ્યા. પ્રભુ આપના એ નિશ્ચયને સંસારના માહક પાશ ન અટકાવી શક્યા કે આત્મસાધનામાં આવી પડતી અપાર આપત્તિઓ એને ન ડગાવી શકી. પ્રભુ ! આપે હદયબળે સ્વીકારેલ આપને એ નિશ્ચય મેરૂસમ અડગ હતું અને એ નિશ્ચયની આધારભૂમિ સમું આપનું હદય વજ સમ કઠિન હતું. એ હદયબળને ભેદવું અશકય હતું. પ્રભુ! આપની આત્મસાધનાના આધાર સમા આપના એ હૃદયબળને મારા કેટિ કોટિ વંદન હે. નાથ! મલિન પાણીથી મળને નાશ થયે કદી સાંભળે નથી. આત્મા ઉપરના કર્મમળનો નાશ કરી સમસ્ત સંસારને આત્મશુદ્ધિને માર્ગ ઉપદેશવા આપે સંયમ ધારણ કર્યું હતું. પ્રભુ ! એ આત્મશુદ્ધિ માટે આપે આપના હૃદયને ફટિક સમું નિર્મળ બનાવ્યું, અને એ સ્ફટિક સમ નિર્મળ હદયનાં દેલનેએ આપને વિશ્વબધુપણાને નાદ સમસ્ત સંસારને સંભળાવ્યું. નાથ ! આપના એ પવિત્ર કરુણાભર્યા