________________
૧૧૭
(૧) આ ત્રણ કેનું તાત્પર્ય એ છે કે આ લેક અને પરલેકમાં જેનાથી આત્માનું અહિત થાય એવા જ મહાતામસ અને રૌદ્ર કાર્યોમાં જે મનુષ્ય સદા પ્રવતે છે તેની ગણત્રી અધમાધમ વગમાં થાય છે.
(૨) જે મનુષ્ય પરલોકમાં પિતાનું ગમે તે થાય તેની કાળજી રાખ્યા વિના “આ ભવ મીઠા તે પરભવ કોણે દીઠા” એ ઉક્તિ અનુસાર પરલોક નિરપેક્ષ માત્ર આ લેકના સુખને જ નજર સમક્ષ રાખીને પ્રવૃત્તિ કરે છે તેની ગણત્રી અધમ વર્ગમાં થાય છે. આવી વૃત્તિવાળા મનુષ્ય માત્ર એટલું જ જુએ છે કે, તેમને આ લેકમાં સુખ મળવું જોઈએ અને તેમનું આ લોકનું સુખ ટકી રહેવું જોઈએ.
(૩) પિતાને આ લેકમાં અને પરલોકમાં એમ બને લોકમાં સુખ મળે, એવા કાર્યમાં જે મનુષ્ય પ્રવતે છે, તેની ગણત્રી વિમધ્યમ વર્ગમાં થાય છે. આવા જ પિતાને અને લેકમાં સુખ જે રીતે મળે તે જાતની પ્રવૃત્તિ
(૪) જે મનુષ્ય પિતાના પરલોકને સુધારવા માટે જ બદ્ધકક્ષ બની શુભ ક્રિયામાં પ્રવર્તે છે અર્થાત્ આ લોકના સુખની અપેક્ષા રાખતા નથી પણ પિતાને પરલેક ન બગડે તેની જ મુખ્ય કાળજી રાખીને તેઓ શુભ કાર્યોમાં પ્રવર્તે છે. આવા આત્માઓની ગણત્રી મધ્યમ વર્ગમાં થાય છે.