________________
૨૪
છે. દેવાની દુ'દુભિએ હાથથી તાડન કર્યા વિના જ પેાતાની મેળે જ વાગતી રહે છે. સવ દિશાએ અતિ પ્રસન્ન થઈ જાય છે, સુગંધી તથા શીતલ પવન મંદ મંદ ગતિએ વાયા કરે છે. પૃથ્વી ઉપરની ધૂળ સર્વત્ર શમી જાય છે અર્થાત્ કયાંય ધૂળ ઉડતી માલમ પડતી નથી. સમુદ્રની લહેરો શીતલ તથા સુગંધી થાય છે. હર્ષને લીધે પૃથ્વી ચાર આંગળ ઉછળે છે.
શ્રી તીર્થંકરની માતાનુ સૂતિક્રમ છપન્ન દિકુમા રિકાએ કરે છે તથા શ્રી તીર્થંકરાના જન્માભિષેક મહોત્સવ ચાસઠ ઈન્દ્રો પેાતાના પરિવાર સહિત આવીને મેરુપર્યંત ઉપર કરે છે. તીકરાના જન્મ વખતે ક્ષણવાર આખું જગત આનંદમય બની જાય છે તે આ પ્રમાણે
દેવતાઓનુ, અસુરનુ', મનુષ્યાનુ તથા પશુપક્ષિઓનું પરસ્પર બૈર નાશ પામે છે. લેાકાની આધિ-વ્યાધિ શાંત થાય છે. લેાકામાં ક્ષુદ્ર ઉપદ્રા થતા નથી. શાકિની વગેરે કાઈના પણ પરાભવ કરી શકતી નથી. દુષ્ટ મા તથા તંત્ર પ્રભાવ વિનાનાં થઈ જાય છે. સ લેાકેાના સૂર્ય આદિ ગ્રહો શાન્તભાવને પ્રાપ્ત થાય છે— અર્થાત્ ટાકાને શાંત કરે છે. ભૂત-પ્રેતાદિક વગેરેના ઉપદ્મવા ઉપ શાંત થાય છે. સર્વ લેાકેાનાં મન પરસ્પર પ્રીતિવાળાં થાય છે. પૃથ્વીમાં દૂધ, ઘી, તેલ, શેરડીના રસ ઇત્યાદિક રસની વૃદ્ધિ થાય છે. સર્વ વનસ્પતિઓને લ, પુષ્પ તથા નવાં કામળ પાંદડાઓની સમૃદ્ધિ થાય છે. માટી માટી