________________
કા
વગડાવીને “વરવરિકા”ની ઉોષણા કરાવવામાં આવે છે. “ વરવરિકા ” એટલે જેને જે જોઈએ તે માગી લેવાની જાહેરાત. અને તે પછી દરરેજ સેનું, ચાંદી, રત્ન, માણિક, વસ્ત્ર, આભરણ, હાથી, ઘોડાઓ વગેરે જેને જે જોઈએ તે વસ્તુઓ આપીને એક વર્ષ સુધી પ્રતિદિન ભગવાન સાંવત્સરિક મહાદાન આપે છે. આ સાંવત્સરિક દાન આપતી વખતે ભગવાનની બધા લોકો ઉપર એક સરખી કૃપા હોય છે. એ રીતે સાંવત્સરિક દાન દ્વારા સમગ્ર પૃથ્વીને ઋણ રહિત કરવામાં આવે છે અને તે વખતે ભગવંતના યશ અને ભગવંતની કીર્તિને દશે દિશાઓમાં કે વાગે છે.
( ત્યારપછી ભગવંતના દીક્ષા સમયને ચોસઠે ઈન્દ્રો અવધિજ્ઞાનથી જાણે છે અને તેઓ બધા પિતપોતાના પરિવાર સાથે ભગવંતની પાસે આવે છે અને તેઓ સર્વ સમૃદ્ધિ વડે અને સર્વ પ્રકારે ઉત્કૃષ્ટ રીતે પ્રભુની દીક્ષાને અષ્ટાક્ષિક મહોત્સવ કરે છે. ત્યારપછી ભગવાન પિતાના હાથે પંચમુખિ લેચ કરી સિદ્ધભગવતેને નમસ્કાર કરી સવયં દીક્ષા ગ્રહણ કરે છે. પૂર્વ જન્મમાં પાળેલા ચારિત્રના અભ્યાસથી અને જન્મથી જ જ્ઞાન સહિત હોવાથી ભગવાન પિતાની મેળે જ સર્વ શિક્ષાઓના રહસ્યને જાણતા હોય છે. તેઓનું ચિત્ત માત્ર એક્ષમાંજ બંધાયેલું હોય છે. પિતાને શું શું ઉચિત આચરણ કરવાનું છે તે બધું તેઓ જાણે છે. તેઓ પૃથ્વીતલ ઉપર દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવવડે અપ્રતિબદ્ધકોઈ ઠેકાણે બંધાયા વિના સર્વત્ર અનાસક્તભાવે વિચરે