________________
૧૨૬
ચારનું ઉલ્લંઘન કરવાની, લેમ કરવાની, માન કરવાની, કેઈને વંચના કરવાની કે ન્યાયવૃત્તિનું ઉલ્લંઘન કરવાની કે મન-વચન-કાયાથી કોઈપણ પ્રકારનાં પાપકર્મ કરકરવાની વૃત્તિ જ થતી નથી. પાપ કરવાને ભાવ જ પ્રગટતે નથી આખું જગત તે વખતે ક્ષણવાર આંતરિક દોષોના અભાવવાળું બની જાય છે.
શ્રી તીર્થંકરના જન્મ સમયે લોકો સારાં સારાં કૃત્ય કરીને મનશુદ્ધિવાળા થાય છે. લોકોનાં ઈચ્છિત કાયાની સિદ્ધિ થાય છે. પારકાના ગુણગ્રહણ કરવાની વૃત્તિમાં અભિવૃદ્ધિ થાય છે, શ્રી તીર્થકરોના જન્મ સમયે લેકે પિતપોતાને ઘેર મહોત્સવ કરે છે, માંગલિક ગીતે ગાય છે અને લોકો પરસ્પર વધામણ-ભેંટણાદિ કરે છે.
- શ્રી તીર્થકરના જન્મ વખતે સ્વર્ગવાસી અને પાતાલવાસી દેવે પ્રમુદિત થાય છે અને તેઓ શાશ્વત ચોને વિષે ભક્તિ મહોત્સવ કરે છે. દેવાંગનાઓ ધાવ માતાનું કામ કરે છે અને ભગવંતને નવાં નવાં વસ્ત્રાભરણથી શોભાવે છે, અનેક પ્રકારની આનંદ-પ્રમોદ પમાડનારી કીડાઓ પ્રભુને કરાવે છે. ભગવંતના દેહની પુષ્ટિ માટે ભગવંતના જમણા હાથના અંગુઠામાં દેવેન્દ્ર અમૃતનો સંચાર કરે છે. બાલ્યાવસ્થામાં પણ તીર્થકર ભગવંતે શ્રેષ્ઠ પ્રકારના મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનથી સહિત હોય છે. અપરિમિત બલ અને પરાક્રમવાળા હોય છે અને તેથી દેવતાઓ, અસુરે અને મનુષ્યોથી તેઓ ક્ષોભ પામતા