________________
૧૨૮ શરીરને વિષે એવી કોઈ અદ્દભુત શોભા થાય છે કે જે શોભા દેવેન્દ્રો, અસુરેન્દ્રો અને ચક્રવર્તિઓના અંતઃકરણમાં પણ અત્યંત ચમત્કાર અને ક્ષોભ ઉત્પન્ન કરે છે. કહ્યું છે કે
સરવણ ન કરવું. અનુપમાં વિવિજ્ઞાન जिणपायंगुट्ठ पइ, न सोहए तं जहिंगालो ॥ १ ॥
ભાવાર્થ– સર્વ દેવતાએ ભેગા મળીને પિતાનું તમામ રૂપ માત્ર એક અંગુઠા જેટલા પ્રમાણમાં એકત્રિત કરે અને તે રૂ૫ ભગવંતના અંગુઠાના રૂપની આગળ મૂકવામાં આવે તે તે કોલસા જેવું લાગે. અંગારાની જેમ નિસ્તેજ લાગે. અર્થાત કોલસાની જેમ શોભતું નથી. વલી પણ કહ્યું છે કે –
संघयणरूवसंठाण वणगइसत्तसारऊसासा । एमाइणुत्तराई', हवंति नामोदया तस्स ॥ २ ॥
અર્થ– શ્રી તીર્થકર ભગવતેના સંઘયણ, રૂપ, સંસ્થાન, વર્ણ, ગમન-ચાલવાની પદ્ધતિ, સત્વ, બળ અને શ્વાસે શ્વાસ એ બધાં જ વિશિષ્ટ પ્રકારના નામકર્મના-શ્રી તીર્થકર નામકર્મના ઉદયથી જગતમાં સર્વોત્તમ હોય છે.
ખરેખર તીર્થકરોનું રૂપ અને સૌભાગ્યાદિ તથા એક હજાર ને આઠ બાહ્ય લક્ષણોથી યુક્ત તેમનું શરીર અદ્દભુત લીલાના અતિશયવાળું હોય છે કે જે અતિશયની, સ્વર્ગલોકમાં દેવ-દેવીઓ, પાતાલલોકમાં પાતાલવાસી દેવ-દેવીઓ અને મનુષ્ય લેકમાં નર-નારીઓ સ્તુતિ કરે છે, ગુણગાન કરે છે અને ધ્યાન કરે છે.