SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ શરીરને વિષે એવી કોઈ અદ્દભુત શોભા થાય છે કે જે શોભા દેવેન્દ્રો, અસુરેન્દ્રો અને ચક્રવર્તિઓના અંતઃકરણમાં પણ અત્યંત ચમત્કાર અને ક્ષોભ ઉત્પન્ન કરે છે. કહ્યું છે કે સરવણ ન કરવું. અનુપમાં વિવિજ્ઞાન जिणपायंगुट्ठ पइ, न सोहए तं जहिंगालो ॥ १ ॥ ભાવાર્થ– સર્વ દેવતાએ ભેગા મળીને પિતાનું તમામ રૂપ માત્ર એક અંગુઠા જેટલા પ્રમાણમાં એકત્રિત કરે અને તે રૂ૫ ભગવંતના અંગુઠાના રૂપની આગળ મૂકવામાં આવે તે તે કોલસા જેવું લાગે. અંગારાની જેમ નિસ્તેજ લાગે. અર્થાત કોલસાની જેમ શોભતું નથી. વલી પણ કહ્યું છે કે – संघयणरूवसंठाण वणगइसत्तसारऊसासा । एमाइणुत्तराई', हवंति नामोदया तस्स ॥ २ ॥ અર્થ– શ્રી તીર્થકર ભગવતેના સંઘયણ, રૂપ, સંસ્થાન, વર્ણ, ગમન-ચાલવાની પદ્ધતિ, સત્વ, બળ અને શ્વાસે શ્વાસ એ બધાં જ વિશિષ્ટ પ્રકારના નામકર્મના-શ્રી તીર્થકર નામકર્મના ઉદયથી જગતમાં સર્વોત્તમ હોય છે. ખરેખર તીર્થકરોનું રૂપ અને સૌભાગ્યાદિ તથા એક હજાર ને આઠ બાહ્ય લક્ષણોથી યુક્ત તેમનું શરીર અદ્દભુત લીલાના અતિશયવાળું હોય છે કે જે અતિશયની, સ્વર્ગલોકમાં દેવ-દેવીઓ, પાતાલલોકમાં પાતાલવાસી દેવ-દેવીઓ અને મનુષ્ય લેકમાં નર-નારીઓ સ્તુતિ કરે છે, ગુણગાન કરે છે અને ધ્યાન કરે છે.
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy