SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ કરવાપણું નિર્માપણું : ત્રણ શ્રી તી વધારે કહેવાથી શું ? ખરેખર ! તેમના જેવું રૂપ, સૌભાગ્ય, લાવણ્ય, ગમન, વિલન, વચન, દર્શન, સ્પર્શન, શ્રવણ, ઔદાર્ય, ગાંભીર્ય, વૈર્ય, મર્યાદા સહિતપણું, આર્યપણું, દયાલુપણું, અનુદ્ધતપણું, નમ્રપણું, સદાચરણ, મનઃ સત્યપણું, વચન સત્યપણું, કાયક્રિયાસત્યપણું, સર્વજનેનું હિત કરવાપણું, પ્રભુત્વ, પ્રશાન્તપણું, જિતેન્દ્રિયપણું, ગુણિપણું, ગુણાનુરાગિપણું, નિર્ભયપણું, સમપણું, રમ્યપણું, સર્વાભિમુખ પણું, નિર્ભયપણું, નિર્દોષપણું વગેરે ત્રણે જગતમાં બીજા કેઈમાં હેતુ નથી અને તેથીજ ત્રણ ભુવનમાં અતિશય અલૌકિક અને સૌથી શ્રેષ્ઠ ગુણના સમૂહના કારણે શ્રી તીર્થંકર ભગવંતે મહાન છે, સર્વત્ર મહાન પ્રતિષ્ઠાને પામેલા છે. તેઓ સર્વત્ર વિવેકપૂર્વક કરણય વિવિધ કાર્યોને કરે છે. અને સર્વત્ર ઔચિત્યપૂર્ણ આચરણ કરવામાં અત્યંત ચતુર હોય છે. આત્મામાં મદ આદિ વિકારોને ઉત્પન્ન કરનારા સર્વોત્તમ જાતિ, કુલ રૂપ, બલ, પ્રભુતા, સંપનિ વગેરે વિદ્યમાન હોવા છતાં પણ તેઓ સર્વત્ર વિકાર વિનાના હોય છે. વિષય જનિત સુખ અનંત દુ:ખનું કારણ છે અને અસ્થિર છે એમ તેઓ બરાબર જાણતા હોય છે છતાં પૂર્વના ભમાં ઉપાર્જિત કરેલ તેવા પ્રકારના ભેગફળને આપનારા કર્મોના પ્રભાવથી તેઓ વિપુલ સામ્રાજ્યલકમીને ભોગવે છે, પરંતુ વાસ્તવિક રીતે તે તે વખતે પણ તેઓ પરિણામે રસ વિનાના એ ભેગોથી વિમુખ જ હોય છે અને ઉપમાનીત વૈરાગ્યરંગમાંજ મગ્ન હે ય છે. કહ્યું છે કે यदा मरुन्नरेन्द्र श्री-स्त्वया नाथोपभुज्यते । यत्र तत्र रतिर्नाम, विरक्तस्वं तदापि ते ॥ १ ।।
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy