________________
૧૨૫
દિકમાં, તથા ચિત્રકવલ્લી, દ્રાક્ષા, નાગવલ્લી અને અતિ પ્રભાવશાળી મોટી મોટી ઔષધિઓમાં ઉત્પન્ન થાય છે.
બેઈન્દ્રિય જીવમાં જો ઉત્પન્ન થાય તે દક્ષિણાવર્ત શંખમાં; શુક્તિ-છીપમાં અર્થાત્ જેમાંથી મોતી ઉત્પન્ન થાય એવી છીપમાં તથા શાલીગ્રામ આદિકમાં ઉત્પન્ન થાય છે. એવી જ રીતે ત્રીન્દ્રિય તથા ચતરિક્રિયાદિકમાં ઉત્પન્ન થાય તે ત્યાં પણ ઉત્તમરૂપે ઉત્પન્ન થાય છે.
પંચેન્દ્રિય તિર્યંચને વિષે ઉત્પન્ન થાય તે સર્વોત્તમ પ્રકારના ભદ્રજાતિના ગજ-હતિરૂપે તથા અશ્વાદિકમાં ઉત્પન્ન થાય તો સારા લક્ષણવાળા અશ્વાદિકમાં ઉપન થાય છે.
ત્યાર પછી મનુષ્યભવમાં આવેલા તીર્થકરોના આત્માઓ ઉત્તમ કુલોમાં ઉત્પન્ન થઈ અપૂર્વકરણ વડે ગ્રન્થભેદ કરી અનિવૃત્તિ વગેરેના કરણાદિકના ક્રમથી સમ્યકત્વ પામીને ઉત્તમ પ્રકારના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ-ભાવાદિક રૂપે સમગ્ર સામગ્રીને પ્રાપ્ત કરીને તે ભવમાં તેઓ શ્રી અરિહંતવાત્સલ્ય આદિ વિશિષ્ટ ભક્તિ-અર્થાત વશ સ્થાનકની ઉત્તમ રીતે આરાધના કરીને તેઓ તીર્થકર નામકર્મની ઉપાર્જના કરે છે અને તે ભાવનું આયુષ્ય પુરું કરીને તેઓ અનુત્તર વિમાનાદિ ઉત્તમ દેવવેકાદિમાં ઉત્પન્ન થાય છે.
અનત્તર વિમાનાદિકને વિષે દેવલેકના ઉત્તમ સુખોને