________________
૧૧૮ (૫) વળી વિશિષ્ટ બુદ્ધિમાન એવા જે પુરુષે આ લોકના સુખને માટે પણ નહિ, તેમ પરાકના સુખને માટે પણ નહિ, પરંતુ સર્વ કર્મબંધનથી મુક્ત થવા માટે અર્થાત્ સર્વ દોષથી રહિત થવા માટે અને આત્મામાં છૂપાયેલા અનંત ગુણોને પ્રગટ કરી સર્વ ગુણથી સંપન્ન થવા માટે-મુક્તિ મેળવવા માટે સદા પ્રયત્નશીલ રહે છે અને એમાં જ અપ્રમત્તભાવે દત્તચિત્ત રહે છે, તેમની ગણત્રી ઉત્તમ પુરુષોના વર્ગમાં થાય છે.
(૬) પરંતુ જે મનુષ્ય ઉત્તમ ધર્મને પ્રાપ્ત કરીને પિતે સર્વથા કૃતકૃત્ય બનવા છતાં પણ બીજા જના કલ્યાણને માટે સદા ઉત્તમ ધર્મનો ઉપદેશ આપે છે તેની ગણત્રી ઉત્તમથી પણ ઉત્તમ અર્થાત્ ઉત્તમોત્તમ વર્ગમાં થાય છે. અને તેથી જ તેઓ જગતમાં સૌથી શ્રેષ્ઠ સ્મર ણીય, સ્તવનીય અને થાતત્ય છે, તેમની ઉપાસના કરવાથી ચિત્તની પ્રસન્નતા થાય છે. એ ચિત્ત પ્રસન્નતા અંતે સમાધિમાં પરિણમી પરિણામે નિઃશ્રેયસ-મુક્તિની પ્રાપ્તિમાં હેતુભૂત બને છે, તેનું વિશેષ વર્ણન શ્રી સિદ્ધર્ષિગણિકૃત ઉપમિતિ-ભવ-પ્રપંચા કથા નામના ગ્રન્થરનમાં તથા શ્રી ક્ષેમં. કરગણિકૃત વત્ પુરુષ ચરિત્રમાં સુ દર રીતિએ કરવામાં આવ્યું છે. જેને વાંચતાં વિચારતાં વિવેકી જનેને શ્રી અરિહંત પરમાત્માના વિશિષ્ટ આત્મદ્રવ્યની પ્રતીતિ થાય છે અને તેથી તેમના પ્રત્યે અનાયાસે પિતાના હદયસાગ૨માં ભક્તિભાવની છેળે ઉછળવા લાગે છે, જેનાથી કિaષ્ટ