________________
૧૧૩
અને કાઈક અગેાચર પરમ ચૈતન્યમય જ્ગ્યાતિ 'તરમાં સ્કુરાયમાન થાય છે. (41. 21. 9)
22
“ હે પ્રભુ ! પાપના ક્ષય કરનારૂ, ઉત્તમ પદ્મ સ્વરૂપ અને રૂપ રહિત એવું અપ્રતિપાતિ ધ્યાન જ્યાં સુધી પ્રગટ ન થાય, ત્યાં સુધી મારા હૃદયમાં તમારું રૂપ અનેક પ્રકારે જ્ઞેયાકારરૂપે પરિણામ પામા, જે આનંદઘનમાં ત્રિકાલ સ‘ભવી અને સર્વ તરફથી થયેલું સુર અસુરનું સુખ અનંતમા ભાગે પણ ઘટતું નથી. ” ( પ્રતિમાશતક શ્લોક ૯).
“ હું જિનેન્દ્ર ! ઉત્તમ પુરુષાના વૃંદાએ નમસ્કાર કરેલ અને મુક્તિરૂપ લતાના કદ સમાન એવી તમારી પ્રતિમા, કે જેને દેવતાઓએ મદારવૃક્ષના પુષ્પસમૂહવડે પૂજેલી છે અને જે ઉગ્ર રાગને શાષણ કરનારા સ્નાત્રજલ રૂપ અમૃતના ઝરણથી સર્વ જગતની રક્ષા કરે છે, પ્રતિમાને અમે પરમ આન`દને ( માક્ષને ) અર્થે વંદના કરીએ છીએ ” ( પ્રતિમાશતક લેાક ૧૧ ).
,,
“ જેમ ભ્રમર પ્રફુલ્લિત માલતીને છેડે નહિ, અને જેમ હાથી મનેાહર રેવા નદીને છેાડે નહિ, જેમ કેાકિલ પક્ષી વસ'તઋતુમાં સૌદય વાળી આમ્રવૃક્ષની મજરીને છેડે નહિ, અને જેમ સ્વગ પતિ ઈન્દ્ર ચંદનવૃક્ષેાથી સુંદર એવી ન'દનવનની ભૂમિને છેાડે નહિ, તેમ હું શ્રી તીર્થંકર ભગ વતની પ્રતિમાને મારા હૃદયમાંથી ક્ષણવાર પણ છેડતા નથી. ” ( પ્રતિમા શતક-૪)
“ હે પ્રભુ! અનિમેષ દૃષ્ટિ વડે નિર ંતર દર્શન કરવા